BANASKANTHAPALANPUR

રક્ષાબંધન પર્વની ઉજવણી વર્ગ: બી.એ. સેમેસ્ટર–5 આયોજક: ડૉ. કલ્પના ગાંવિત

30 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

કોલેજમાં બી.એ. સેમેસ્ટર–5ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ અને પરસ્પર રક્ષણના ભાવને ઉજાગર કરતું આ પર્વ વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વના સાંસ્કૃતિક અને સામાજિક મહત્ત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ભાઈ-બહેનના પ્રેમ અને પરસ્પર જવાબદારીના ભાવને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કાર્યક્રમને સુંદર રીતે ઉજવવામાં આવ્યો.આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી સુરેશ પટેલે વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાઈને ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ગરિમા જાળવવા માટે પ્રેરણા આપી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડૉ. કલ્પના ગાંવિત દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સક્રિય સહભાગિતાથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો.
આ રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રેમ, સ્નેહ, ભાઈચારો, પરસ્પર સન્માન અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની ભાવના વધુ સુદૃઢ બની હતી.

Back to top button
error: Content is protected !!