JUNAGADHMANGROL

માંગરોળના:ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરોના ત્રાસ બાબતે લોક દરબાર યોજાયો. વિવિધ મુદ્દાઓ પર ચચૉ કરાઇ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજરોજ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી કોડીયાતર સાહેબ ની અદયક્ષતામાં ડીવીઝન નો વ્યાજખોરો સામે ફરિયાદ ના આધારે કડક કાયૅવાહી કરવા માટે લોકદરબાર યોજાયો.

મરીન પી આઈ સાટી સર માંગરોળ પી એસ આઈ સોલંકી મેડમ માળીયા પી એસ આઈ ચાવડા ચોરવાડ પી એસ આઈ, શીલ પી એસ આઈ ઉપસ્થિત રહ્યા હતા.
વ્યાજખોરો ની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુક્ત કરાવતા ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ મહત્વ નિણૅય ના ભાગરૂપે માંગરોળ મા પણ ડીવાયએસપી કોડીયાતર સાહેબ ની અદયક્ષતામાં વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે લોકદરબાર યોજાયો.

તેમા લોકોને આહવાન કરવામાં આવેલ હતું કે જે કોઈ પણ લોકો વ્યાજ ની ચુંગાલમાંથી ફસાયેલા હોય તે આગળ આવી પોલીસ મા ફરિયાદ નોંધાવે જાહેર મા અચકાતા હોય તો જે તે તાલુકા ના પી એસ આઈ, પી આઈ ,તેમજ ડી વાય એસ પી સાહેબ ને ખાનગીમાં મળી ને લેખિતમાં ફરિયાદ નોંધાવે તેવુ માંગરોળ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ફરીયાદી ને પુરતુ રક્ષણ આપવામાં આવશે અને તેમનુ નામ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવુ મરીન પી આઈ સાટી સર એ બાંહેધરી આપી હતી.

લોકો દ્વારા ખુલ્લા દિલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી માંગરોળ નગરપાલિકા પ્રમુખ ઝાલા ,ભાજપ શહેર પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, વિશ્રવ હિન્દુ પરિષદ સોમનાથ જિલ્લાનાં મંત્રી વિનુ મેસવાણિયા ,વિશ્રવ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, લોએજ ગામના સરપંચ રવિ ભાઈ નંદાણીયા, શીલ ગામના સરપંચ જયેશભાઈ ચુડાસમા સહિત આજુબાજુ ગામના સરપંચો પત્રકારો, સહિત વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો નુ માંગરોળ પી એસ આઈ સોલંકી મેડમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું તેમજ આભાર વિધી ચોરવાડ પી એસ આઈ ગઠવી સર દ્વારા કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમ નુ સુંદર સંચાલન રમેશભાઇ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!