BANASKANTHAPALANPUR
કાંકરેજ તાલુકા ભાજપા એસ.સી.મોરચા દ્વારા કીર્તિસિંહ વાઘેલાનું સન્માન કરવામાં આવ્યું કર્યું
18 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કાંકરેજ તાલુકા ભારતીય જનતા પાર્ટી એ.સી.મોરચો દ્વારા ગુજરાત રાજ્ય પૂર્વ શિક્ષણમંત્રી તથા કાંકરેજ તાલુકાના માજી ધારાસભ્ય કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલાની તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા ભાજપાના પ્રમુખ બનવા બદલ પાલનપુર ખાતે શુભેચ્છા મુલાકાત કરી *પ્રેરણા એક અધભૂત શક્તિ નામનું ડૉ. ભાણાજી લિખિત* પુસ્તક આપી સન્માન કર્યું હતું.કિર્તીસિંહે દરેકનો આભાર માન્યો હતો.આ પ્રસંગે કાંકરેજ તાલુકા એસ.સી.મોરચાના પ્રમુખ કરસનભાઈ પરમાર માનપુર, ઉપપ્રમુખ રામજીભાઈ પરમાર ભાવનગર,પૂર્વ મહામંત્રી નેમાભાઈ કુંવારવા,દેવપુરા ગામના સરપંચ રાહુલભાઈ,પ્રવીણભાઈ પરમાર દુદાસણ,પુનાભાઈ વાલ્મિકી માનપુર સહિત દરેક કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.આ અંગેની માહિતી આપતાં નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.