BANASKANTHAPALANPUR
સમતા વિદ્યાવિહાર બાલમંદિર અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સ્વસ્તિક કલાઉત્સવ -23 માં ભાગ લીધો
13 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર બાલમંદિર અને પ્રાથમિક વિભાગના બાળકોએ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં સ્વસ્તિક કલાઉત્સવ-23 માં ભાગ લીધો જેમાં બાલમંદિર અને ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓએ જુદા જુદા વિભાગોમાં ભાગ લીધો અને તેમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો આ સમગ્ર પ્રવૃત્તિઓનું આયોજન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણાએ તથા વિદ્યાર્થીઓને માર્ગદર્શન શ્રીમતી સુનિતાબેન સેભરા, શ્રીમતી પ્રેરણાબેન તથા શ્રીમતી ચોરાસીયા વર્ષાબેને આપ્યું હતું.