KHERGAMNAVSARI

ખેરગામ બજારના ગટરનું ગંદુ મળમૂત્રવાળું પાણી નિકાલની સમસ્યા અને ખાનગી શોષકૂવા મુદ્દે તંત્રનું મૌન ધારણ.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ગ્રામ પંચાયતની તા.4/3/22 ના રોજ શનિવારે મળેલી ગ્રામ સભામા દરમિયાન ગટર અને શોષકૂવા મુદ્દે ચર્ચા કરવામા આવી હતી ગ્રામ સભા અને ગટર સમિતિ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો કે જેમાં ખેરગામ સરપંચશ્રી ઝરણાબેને જણાવ્યું હતું કે ગટર સમિતિ ને 1મહિનાનો સમય આપવામાં આવે છે આ એક મહિનામાં બજાર વિસ્તારના 180 કનેક્શનના પોતાના ખાનગી શોષકૂવા બનાવી લેવાના રહેશે અને હાલમા કોતરડામાં ગટરનું ગંદુ પાણી ચાલુ છે તેને બહાર કાઢી સાફ કરવાની ગટર સમિતિયે બાહેધરી આપી હતી.
પરંતુ આ બધી વાતો નો ઠરાવ ગ્રામ સભાના પાને જ જોવા મળી રહ્યો છે એવું લાગી રહ્યું છે 1મહિનાનો સમય પૂરો થવા આવ્યો પણ હજી સુધી ખેરગામ બજારમાં શોષકૂવા ખોદવાની શરૂઆત પણ નથી કરી અને કોતરડામાં ગંદુ પાણીનો નિકાલ પણ કરવામાં આવ્યો નથી.ગ્રામ પંચાયત દ્વારા ત્રણ નોટિસ આપવા છતા ગટરનુ ગંદુપાણી કોટડામાં છોડવાનું બંધ નથી કરતા, આ ગંદા પાણીના કારણે જમીનમાં ખેતી કરી નથી શકાતું શોષકૂવાના અભાવના કારણે મળમૂત્રવાળું ગંદુ પાણી ગટરમાં સીધું છોડી દેવામાં આવે છે 180 કનેક્શન માટે 1800 લોકોના દાદરી ફ.અને બાવળી ફળિયાના રહિસોના આરોગ્ય સાથે જોખમ જોવા મળી રહ્યું છે
આ બાબતે દાદરી ફ.અને બાવળી ફળિયાના રહીશો દ્વારા ગ્રામપંચાયત ના સભ્ય (જીજ્ઞેશ) જગદીશભાઈ જયેશભાઈ પટેલની આગેવાની હેઠળ અને ગામના આગેવનોએ સાથે મળી વાંધા અરજી કરી હતી તા.29/12/2022 ના રોજ ખેરગામ બજારની નવી ગટરના યોજના ના ગંદા પાણી નિકાલ બાબતે વાંધો હોવાની અરજી
1.મે. જિલ્લા કલેકટર સાહેબશ્રી નવસારી.
2.મે.જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી.
3.મે. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી.
4.મે.મામલદાર સાહેબશ્રી ખેરગામ.
5.મે.તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ.
જેવોને લેખિતમા રૂબરૂ તથા પોસ્ટ રજીસ્ટર એડી દ્વારા મોકલવામાં આવી હતી ન્યાય મળે તેવી આશા સાથે રજુઆત કરી હતી. હવે જોવાનું રહિયું કે દાદરી ફ.અને બાવળી ફળિયાના રહીશોને ન્યાય મળશે ?

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!