યોગેશ કાનાબાર રાજુલા
અમરેલી માં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી ની ને આવ્યો એટેક થયું મોત
અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે ધોરણ-9ની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ચાલુ પરીક્ષાએ જ વિદ્યાર્થિની ઢળી પડતાં શાળાના સ્ટાફ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થયો છે, જોકે, અમરેલીની વિદ્યાર્થિનીના મૃત્યુના કારણને લઈ તબીબે કહ્યું હતું કે પીએમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ કહી શકાશે.પરીક્ષા આપતા સમયે જ વિદ્યાર્થિની ઢળી પડી અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. ધોરણ-9માં અભ્યાસ કરતી સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિની પણ આજે પરીક્ષા આપવા પહોંચી હતી. સાક્ષી પરીક્ષાખંડમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે જ અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.