GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધન નિમિત્તે સમગ્ર રાજ્યમાં ૧૬ જૂને રાજકીય શોક જાહેર”

તા.૧૫/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

Rajkot: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ નિધન થયું છે. દિવંગત પૂર્વ મુખ્યમંત્રીશ્રીના માનાર્થે ગુજરાત સરકારે ૧૬ જૂન ને સોમવારે એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે. આ દિવસે રાજ્યભરની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આ ઉપરાંત, શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર ૧૬ જૂન ને સોમવારે રાજકોટ ખાતે કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!