GUJARATLUNAWADAMAHISAGARUncategorized

છેલ્લા ૧૭ વર્ષથી પ્રોહીબીશનના ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડતી મહીસાગર એલસીબી 

આસીફ શેખ લુણાવાડા

છેલ્લા ૧૭ વર્ષથી પ્રોહીબીશનના ત્રણ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડતી મહીસાગર એલસીબી

મહીસાગર એલસીબીએ છેલ્લા ૧૭ વર્ષથી પ્રોહીબીશનના ત્રણ અલગ અલગ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી ઝડપી પાડયો છે. પ્રાપ્ત વિગત અનુસાર મહીસાગર એલ.સી.બી. પી આઈ ને બાતમી મળેલ કે મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ મથકના બે ગુન્હા અને બાકોર પોલીસ મથકના એક ગુન્હા મળી અલગ અલગ ત્રણ ગુન્હાઓમાં નાસતો ફરતો આરોપી અશોકસિંગ ઉર્ફે અનિલભાઇ પન્નાલાલ કોઠારી રહે- ખેરવાડા (રાજસ્થાન)નાનો હાલ મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર ખાતે રહે તેવી ચોક્ક્સ બાતમી આધારે સ્ટાફ ટીમને સુચના આપતા ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા છેલ્લા સત્તર વર્ષથી નાસતો ફરતો આરોપી મળી આવ્યો હતો. મહીસાગર એલસીબીએ આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!