આગામી લોક્સભામાં જામ જોધપુર ના ઉદ્યોગપતિ વીએચપી પ્રમુખ હરેશભાઈ બારીયા પણ ચુંટણી લડવા ઉત્સુક
હરેશભાઈ બારીયાને પક્ષ દ્વારા ટીકીટ ફાળવાય તેવી સમર્થકો ની લોક લાગણી
જામનગર
લોક્સભા ની ચુંટણી ની ચુંટણી નો સમય જેમ જેમ નજદીક આવતો જાય છે તેમ તેમ દિવસે ને દિવસે રાજકીય ગતિવિધી તેજ બની રહી છે લોક્સભાની બેઠક લડવા માટે કોને ટીકીટ મળશે કોને નઈ મળે તેવી રાજકીય ચર્ચા ઓ તેજ બનતા રાજકારણ મા ગરમાવો આવ્યો છે વિવિધ સમાજ ના સક્ષમ નેતાઓના નામો ચર્ચાઈ રહેલ છે અને તેમના સમાજ ના અગ્રણીઓને ટીકીટ મળે તેવી લાગણી દર્શાવાઈ રહી છે ત્યારે લોક્સભાની જામનગર ની બેઠક માટે જામ જોધપુર પંથકના વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખઆહિર સમાજ ના યુવા ઉદ્યોગપતિ અને અનેક સમાજ સાથે સામાજીક અને વેપાર ક્ષેત્રે જોડાયેલ આ અગ્રણી હરેશ ભાઈ બારીયા પણ ભાજપ માંથી ચુંટણી લડવા ના મુડમા હોય તેમના સમર્થકો પણ હરેશ ભાઈ બારીયાટીકીટ મળે તેવુ ઈચ્છી રહ્યા છે અને માંગ પણ કરી રહ્યા છે
આ અંગે જામજોધપુરના રાજકીય વિશ્ર્લેષક અશોક ઠકરાર ના જણાવ્યા મુજબ
અને આ યુવા આહિર અગ્રણી દ્વારા જો પોતાને ટીકીટ મળે તો ચુટણી લડવા સક્ષમ છે જેમને લઇ આ અગ્રણી એ પણ ગતિવિધી તેજ કરી દીધી છે અને તેમને ટીકીટ મળે તે માટે ના રાજકીય સોગઠાગોઠવી રહેલ છે હરેશ ભાઈ બારીયા નો પરિવાર પણ છેલ્લા ઘણા વરસો થયા રાજકારણ સાથે જોડાયેલ છે. અને તેમના પરિવાર ના સભ્ય તેમજ તાલુકાભરમાં આહિર સમાજ માં મોટુ નામ ધરાવતા સ્વ .હરદાસ બાપા બારીયા ( વનાણા વાળા )ધારાસભા ની ચુંટણી પણ લડી ચુક્યા છેઆમ જામ જોધપુર ના અગ્રણી નું નામ ચર્ચા માં ઉઠતા જામનગર ની બેઠક નું રાજકારણ ગરમાયુ છે.