RAMESH SAVANI

દેશની આઝાદી માટે મુસ્લિમો લડ્યા હતા, પરંતુ એક પણ ગોડસેવાદી લડ્યો હતો?

ચૂંટણી ટાણે સોશિયલ મીડિયામાં હેતુપૂર્વક નફરત ફેલાવનારા મેસેજ મોકલવામાં આવે છે અને ઓછામાં ઓછા 20 મિત્રોને ફોરવર્ડ કરવાની અપીલ કરવામાં આવે છે. 2014 પછી આ પ્રકારનું પ્રદૂષણ વધ્યુ છે અને 2024માં આ પ્રદૂષણ ટોચ પર પહોંચ્યું છે.
7 એપ્રિલ 2024ના રોજ WhatsApp માં એક ધૃણાસ્પદ મેસેજ વાંચવા મળ્યો : “[1] હરણ આખો દિવસ ઘાસ ખાવામાં વ્યસ્ત રહે છે, અને ઘાસને પ્રોટીનમાં રૂપાંતરિત કરે છે. બીજી બાજુ, માંસાહારી પ્રાણીઓ ભૂખ ન લાગે ત્યાં સુધી આરામથી સૂઈ જાય છે. કારણ કે તેઓ જાણે છે કે હરણ તેમના માટે પ્રોટીનની વ્યવસ્થા કરવા માટે કામ પર છે. હિંદુ હરણે સોનું, ચાંદી, હીરા, જ્ઞાન-વિજ્ઞાન, જમીન, ધંધો, કારખાનું બહુ મહેનત કરીને એકત્ર કર્યું હતું, શું થયું? એક ભયાનક જાતિએ આવીને બધું સાફ કરી નાખ્યું. ઈરાન લીધું, અફઘાનિસ્તાન લીધું, પાકિસ્તાન લીધું, કાશ્મીર લીધું, બાંગ્લાદેશ લઈ લીધું, કેરળ, બંગાળ અને આસામ પણ લગભગ લઈ ગયા ! તે જાતિએ ફક્ત શિકારીના ગુણો વિકસાવ્યા છે. હવે પાકિસ્તાન, બાંગ્લાદેશમાં હરણ ધીરે ધીરે ખતમ થઈ રહ્યા છે અને ભયાનક નરભક્ષકો વધી રહ્યા છે. હવે એ નરભક્ષકોની નજર ભારત પર છે. [2] જ્યારે કોઈ વિસ્તારમાં હિંદુઓની સંખ્યા 40% થઈ જાય છે, ત્યારે શાંત સતામણીનો સમયગાળો શરૂ થાય છે, જેમકે રાત્રે 12 વાગે તમારો પાડોશી સલમાન તેની દિવાલ પર ખીલા મારવાનું શરૂ કરે છે, તમારો પરિવાર રાત્રે સૂઈ રહ્યો છે… રઝિયાનું બાળક દરરોજ તમારા ઘરની બહાર શૌચ કરશે. ક્યારેક રઝિયા આવીને સફાઈ કરશે, તો ક્યારેક કહેશે કે મારા બાળકે આવું નથી કર્યું. તમારે તેને સાફ કરવું પડશે…જો તમારા ઘરમાં જુવાન પુત્રવધૂ/દીકરી છે તો તમારા ઘર આગળ જાવેદ નામના રખડતા ઢોરનો ત્રાસ રહેશે…નમાઝના સમયે ચોથા ઘરના શરાફત મિયાં તમને ટીવી બંધ કરવાની જીદ કરશે… હોળીના રંગો ઈસ્લામને જોખમમાં મૂકશે, દિવાળીના ફટાકડા બકરીઓને ડરાવશે. તમારા તહેવારો તમારા માટે માથાનો દુખાવો બની જશે…તમે ગમે તેટલા પ્રમાણિક હો, મહિનામાં ત્રણ-ચાર વાર તેઓ તમારી સાથે લડવાનું બહાનું શોધશે…હિન્દુઓ જાગો !”
થોડાં મુદ્દાઓ : [1] માની લઈએ કે મુસ્લિમો શિકારી છે. નરભક્ષક છે. હિન્દુઓની માલ મિલકત મુસ્લિમો પડાવી લે છે ! તો હિન્દુત્વવાદી સરકાર શામાટે ભજન કરે છે? ગુજરાતમાં નવાબોનું પણ શાસન હતું તે સમયે આવું કંઈ બન્યું ન હતું તો હવે બનશે, એવું ક્યા આધારે કહી શકાય? હિન્દુઓ 80% છે છતાં ડરે? [2] સલમાન તેની દિવાલ પર ખીલા મારે છે, તે ન જ ગમે, પણ પાડોશી સહદેવ ખીલા મારે તો ગમશે? રઝિયાનું બાળક દરરોજ તમારા ઘરની બહાર શૌચ કરે તે ન ગમે, પરંતુ રેખાનું બાળક શૌચ કરે તે ગમશે? જુવાન પુત્રવધૂ/દીકરીને જાવેદનો ત્રાસ હોય તે ન ગમે; પરંતુ જયનો ત્રાસ હોય તો ગમશે? શરાફત મિયાં તમને ટીવી બંધ કરવાની જીદ કરે તે ન ગમે પણ સંજીવ આવી જીદ કરે તો ગમશે? માની લઈએ કે મુસ્લિમો ઝઘડાખોર છે તો હિન્દુઓ ઝઘડા કરનારા નથી? સગા ભાઈ સાથે બોલવાનો વ્યવહાર નથી હોતો, એને શું કહીશું? કોઈ વ્યક્તિગત કિસ્સાને આખા સમુદાય માટે લાગુ પાડી શકાય? શું માત્ર મુસ્લિમો જ ખરાબ છે અને હિન્દુઓ બધાં દેવદૂતો છે? જો હિન્દુઓ બધાં દેવદૂતો હોય તો દલિત વરરાજાને ઘોડી પરથી શામાટે ઉતારે છે? શું હિન્દુરાષ્ટ્ર બનવાથી સમસ્ચાઓ નાબૂદ થઈ જશે? દલિતો/ પછાત સમુદાયો/ આદિવાસીઓ સાથે ભેદભાવ નહીં થાય? [3] અમુક ક્રિમિનલ/ સ્વાર્થી મુસ્લિમોએ બદમાશી કરી છે, અમદાવાદમાં હાડકાં ફેંકી સસ્તામાં મકાન પડાવી લેવાની ઘટનાઓ બની છે. પરંતુ આવી જ મોડસ ઓપરેન્ડી અપનાવી ‘હિન્દુ બદમાશો’એ બીજા હિન્દુઓના ઘર સસ્તામાં પડાવી લીધાં નથી? આવી ઘટનાઓને સમગ્ર સમુદાય સાથે જોડી શકાય? 2014થી 2024 સુધીમાં હિન્દુત્વવાદી સરકારે મુસ્લિમોની બદમાશી અટકાવવા ક્યાં પગલાં લીધાં? ચૂંટણી ટાણે જ મુસ્લિમોની બદમાશી યાદ આવે છે? [4] બેરોજગારી/ મોંઘવારી ડામવાના અને રુપિયાને મજબૂત કરવાના વચનો આપી સત્તામાં ઘૂસી ગયા બાદ બેરોજગારી/ મોંઘવારી વધી, રુપિયો ગગડી ગયો ! હવે સત્તામાં ટકી રહેવા માટે જ નફરત ફેલાવવાની? [5] હિન્દુત્વવાદી સરકારની નિષ્ફળતાઓ ઢાંકવા મુસ્લિમોને ખલનાયક/ નરભક્ષી/ દેશદ્રાહી ચીતરવાના? અંગ્રેજો સાથે રહીને જાહોજલાલી ભોગવી શકત; પરંતુ બહાદુર શાહ ઝફરે અંગ્રેજો સામે બળવાનું નેતૃત્વ કર્યું એટલે તેમના પરિવારના 29 સભ્યોની અંગ્રેજોએ હત્યા કરી હતી ! ખાન અબ્દુલ ગફારખાન આઝાદી માટે 35 વરસ જેલમાં રહ્યા ! હત્યા માટે જેલમાં ગયેલ સાવરકરની માફક તેમણે ક્યારેય અંગ્રેજોની માફી માંગી ન હતી ! 27 વર્ષનો ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાન હસતો હસતો ફાંસીએ ચડેલ ! હજારો મુસ્લિમો જેલમાં ગયા ! આઝાદીની લડત વેળાએ એક પણ ગોડસેવાદી શહીદ થયો હોય કે જેલમાં પૂરાયો હોય તેવો દાખલો છે? એક પણ મુસ્લિમે હત્યારા ગોડસેને દેશભક્ત કહ્યો છે ખરો? [6] ગાંધીજીના આદર્શો મુજબ બંધારણ સભાએ બંધારણ મંજૂર કર્યું તે કેમ ખૂંચે છે? બંધારણમાં દલિતો/ આદિવાસીઓ/ લઘુમતીઓને હક્કો આપ્યાં છે, એ કેમ કઠે છે? શું નેહરુ/ સરદાર પટેલ/ આંબેડકર અને બંધારણ સભાના સભ્યો ખોટા હતાં? [7] કુટુંબની/ સમાજની/ દેશની પ્રગતિ નફરતથી થાય કે ભાઈચારાથી થાય?rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!