NAVSARI

નવસારી:સચિવશ્રી આર.જી.ગોહિલે પ્રાથમિક શાળા,બાલવાટિકા અને ધોરણ-૧ માં બાળકોનું નામાંકન કરાવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી નવસારીની જમાલપોર, દશેરા ટેકરી અને કાગદીવાડ પ્રાથમીક શાળામાં સચિવશ્રી આર.જી.ગોહિલે બાલવાટિકા અને ધોરણ-૧ માં બાળકોનું નામાંકન કરાવ્યું
સમગ્ર રાજયમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના પ્રારંભે આજે તા.૧૨ મી જુનના નવસારીની જમાલપોર પ્રાથિમક શાળા ખાતે નિર્મલ ગુજરાત અને હાઉસીંગ બોર્ડ ગાંધીનગરના સચિવશ્રી આર.જી.ગોહિલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી અજયભાઇ દેસાઇ તેમજ નવસારી પ્રાંત અધિકારી શ્રી આર.આર.બોરડે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અન્વયે શિક્ષકો/વાલીઓને માહિતગાર કર્યા હતાં.
કાર્યક્રમના પ્રારંભમાં સચિવશ્રી ગોહિલ સહિત મહાનુભાવોએ બાળકોને દફતર કીટ, કંપાસ બોકસ આપી નામાંકન કરાવ્યું હતું. કાર્યક્રમ બાદ શાળાના પ્રાંગણમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના આરોગ્યની તપાસણી કરી હતી.
નવસારીની જમાલપોર પ્રાથિમક શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧ માં કુલ-૩૨ બાળકો, દશેરા ટેકરી, નગરપ્રાથમિક મિશ્રશાળા નં-૧૦ મા કુલ-૨૨ બાળકો અને કાગદીવાડ, નગર પ્રાથમિક મિશ્રશાળા નં-૯ માં કુલ-૪૦ બાળકોને કુમકુમ તિલક કરી મહાનુભાવોને હસ્તે નામાંકન કરવામાં આવ્યું  હતું.
આ પ્રસંગે શહેર અગ્રણીઓ, શિક્ષકમિત્રો, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!