Sayla:ઓવનગઢ ગામનાં યુવાનો દ્વારા અબોલ બિમાર પશુઓનાં જીવ બચાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓવનગઢ ગામનાં યુવાનો દ્વારા અબોલ પશુઓ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં એક સાથે બે અબોલ પશુઓ ઘણા સમયથી બિમાર થી પીડાતા હતા.જયારે જીવદયાપ્રેમી યુવાનો ને નજરે પડતાં બિમાર બળદ નું ઓપરેશન કરવામાં આવ્યું. હજુ દોઢ મહિના સુધી ડ્રેસિંગ સેવા સાકરી કરવા ની જવાબદારી જયંતિભાઈ ગાબુ એ બાહેધરી આપી છે.ક્યાંય પણ આવા અબોલ પશુઓ ધ્યાને આવે તો 1962 ટીમ નો અથવા અમારી ટીમ નો સંપર્ક કરવા વિનંતી જેથી અબોલ પશુઓ નાં જીવ બચાવી શકીએ આ અભિયાન માં આપ સૌ પણ સહ ભાગી બનો એવી સેવાભાવી યુવાનો એ અપીલ કરી હતી.જેમા1962 ટીમના નાં કર્મચારીઓ, છોટુભાઈ
ભગવા આર્મી સંગઠનના મહામંત્રી, તથા ગામના યુવાનો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!