JUNAGADH
કેશોદમાં આવેલ કારગીલ ના શહીદ સ્મારક પાસેના દબાણો દુર કરવા રજુઆત. ભારત કારગિલ વિજય દિવસ ની કરી રહ્યું છે ઉજવણી ત્યારે કેશોદ નગરપાલિકા શહીદ સ્મારક ની શોભા વધારશે ખરી…!
વર્ષ 1999માં થયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની કારગીલ લડાઈમાં જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામના સૈનિક હરેન્દ્રગીરી ગૌસ્વામી માતૃભૂમિની રક્ષા કરતા કરતા…
ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં ઐતિહાસિક પગલું ભૌગોલિક વિસ્તારનો અભ્યાસ શરુ કરવામાં આવ્યો સર્વેની કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા રુ. ૫ કરોડની ફાળવણી
પાણી ભરાવાની વર્ષો પુરાણી સમસ્યા ઉકેલવા જિલ્લા વહીવટી તંત્રની કવાયત: જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાનું માર્ગદર્શન જૂનાગઢ જિલ્લાના ઘેડ…
કેશોદના રેલ્વે સ્ટેશન થી લાટી પ્લોટ રોડ પરનાં દબાણો દુર કરવા માંગણી…
કેશોદ શહેરમાં આવેલાં રેલ્વે સ્ટેશન ને આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા પુરજોશમાં કામ ચાલી રહ્યું છે ત્યારે મુસાફરો અને વાહનચાલકો ને…
જૂનાગઢ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ — જૂનાગઢ તા.૨૪ જુલાઇ,૨૦૨૪ (બુધવાર) …
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેંદરડા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત
જૂનાગઢ, તા.૨૪ જુલાઈ, ૨૦૨૪ (બુધવાર) જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધર વરસાદના પગલે જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના મેંદરડા તાલુકાની મુલાકાત લીધી…
જૂનાગઢ જિલ્લાના ૧૪ જેટલા ડેમ ઓવરફ્લોઃ ૮૬ ગામડાઓને એલર્ટ રહેવા અને નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ
જૂનાગઢ તા.૨૨ જુલાઇ, ૨૦૨૪ (સોમવાર) જૂનાગઢ શહેરમાં અને વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ વિસ્તારમાં વરસાદની અસર વધારે જોવા મળી છે. જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે તેમજ ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થતા ઘેડ પંથકમાં કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકાના અંદાજે ૪૮ જેટલા ગામડાંઓ સંપર્ક વિહોણા છે, જેમાં માણાવદરમાં સૌથી વધુ ૨૨ જેટલા ગામ તેમજ માંગરોળમાં ૧૫ ગામ સંપર્ક વિહોણા છે.જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ કાર્યરત છે. ઘેડ પંથકના ગામડાંઓમાં અસરગ્રસ્ત નાગરિકોનો, સરપંચશ્રીઓ અને તલાટી કમ મંત્રીશ્રીઓની મદદથી શક્ય તેટલો ઝડપી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તારોમાં ફૂડ પેકેટ, પાણી જેવી પ્રાથમિક જરુરિયાતો પણ પૂરી પાડવામાં આવશે. જિલ્લામાં ૧૯ જેટલા ડેમમાંથી ૧૪ જેટલા ડેમ ઓવરફ્લો છે, જેના કારણે ૮૬ જેટલા ગામડાંઓને એલર્ટ કરવામાં આવ્યા છે. નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં જૂનાગઢ જિલ્લામાં આવેલા વરસાદને કારણે માળિયા હાટીના તાલુકાના આંબલગઢ ગામના એક અને માણાવદર તાલુકાના ઝીંઝરી થાણિયાણા ગામના એક એમ બે નાગરિકોના મૃત્યુ, પાણીના વધુ પ્રવાહને લીધે થયા હતા. આકસ્મિક મૃત્યુ થતાં આ નાગરિકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય ચૂકવવા માટેની કાર્યવાહી પ્રગતિ તળે છે. નીચાણ વાળા વિસ્તારમાં આવેલા નાગરિકોને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની ટીમ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હજુ આગામી બે દિવસ જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ હોવાથી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમને અવેજીમાં રાખવામાં આવી છે.
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા, હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદાજુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ…
કેશોદ લોહાણા ક્રાંતિ સેના દ્વારા કુલિંગ ધામ લોકાર્પણ તથા ધૂનનો કાર્યક્રમ યોજાયો
કેશોદ લોહાણા સુંદર વાડી માં યોજાયેલ કુલિંગ ધામ જેમાં મૃત શરીરને માઈનસ સાત ડીગ્રી તાપમાનમાં ઘણા દિવસો સુધી સાચવી શકાય…
બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો ,ભાવિકો ઉમટયા
બાબરાના તાપડીયા આશ્રમ ખાતે પૂ. મહંત ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીમાં ભજન- ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આ…
ભારત વિકાસ પરિષદ, વાઇલ્ડ કેર કંઝર્વેશન સોસાયટી તેમજ સામાજિક વનીકરણ રેન્જ – કેશોદ દ્વારા કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું
ભારત વિકાસ પરિષદની કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ વૈભવ બુક સ્ટોર સ્ટેશન રોડ ખાતે કરવામાં આવેલ આ રોપા વિતરણ…










