SINOR
શિનોરમાં મકબૂલ શફી ખાનકાહનાં ખલીફા હજરત અકબરખાં બાવા તેમજ ઉમરજી બાવાનો ઉર્સ શરીફ ૧ મે નાં રોજ ઉજવાશે
શિનોર મુકામે નર્મદા નદી નાં કાઠે સુપ્રસિદ્ધ હજરત મકબૂલ શફી બાવાની દરગાહ આવેલી છે જ્યાં તમામ સમાજના તેમજ તમામ ધર્મના લોકો આસ્થા સાથે આવે છે તેમજ તમામની મનોકામના પૂર્ણ થાય છે.
હજરત પિરો મૂર્સિદ ખ્વાજા મકબૂલ શફી ઉલ્લાહ ચિસ્તી કાદરી નકસબંદી સોહરવર્દી રહેમતુલ્લાહ અલયહે ખાનકાહ નાં ખલીફા હજરત પીરો મુરસિદ અકબર ખાં બાવા ( મલંગ બાવા ) નો ૪૨ મો ઉર્સ મુબારક તથા ખલીફા ઉંમર જી બાવાનો ૧૪ મો ઉર્સ મુબારક તારીખ.૧/૫/૨૦૨૩ ને સોમવાર નાં દિવસે સાંજે અસરની નમાજ બાદ સંદલ તેમજ ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવશે.
જેમાં મકબૂલ શફી ખાનકાહ તરફથી હિન્દુ મુસ્લિમ તમામ સમાજના શ્રદ્ધાળુઓ ને આમંત્રણ પાઠવવામાં આવે છે.
ફૈઝ ખત્રી…શિનોર