JETPURRAJKOT

૨૩મી એપ્રિલે યોજાનારી શિક્ષક યોગ્યતા કસોટી-૨ (ટેટ-૨) સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

તા.૨૦ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-૨ (TET-૨)ની પરીક્ષા, રાજકોટ શહેરની અલગ-અલગ શાળા કોલેજોના કુલ-૧૨૨ કેન્દ્રો ખાતે તા.૨૩/૦૪/૨૦૨૩ને રવિવારે બપોરે ૧૫ કલાકથી ૧૭ કલાક સુધી લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય, પરીક્ષાર્થીઓ ખલેલ વિના પરીક્ષા આપી શકે, તેમજ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ આચરે નહીં તે હેતુસર, શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.

જે મુજબ, રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકો ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખી શકશે નહીં. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈ વ્યક્તિ વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઈલેકટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ તેમજ પરીક્ષા ખંડમાં લઈ જવા નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઈ જવા નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપૂર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં.

આ જાહેરનામું તા.૨૩-૦૪-૨૦૨૩ના બપોરે ૧૩ કલાકથી ૧૮ કલાક સુધી રાજકોટ શહેર તેમજ પરીક્ષા કેન્દ્રોના વિસ્તારમાં અમલી રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!