થરાદ વનવિભાગના વિસ્તરણ રેન્જના અધિકારીએ નર્સરીમાં કામ કરતા મજૂર સાથે જાતિવાદની માનસિકતાથી હડધૂત કરાતા કરાઈ હતી ફરિયાદ
9 જાન્યુઆરી
વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
બોક્સ.નર્સરી માં કામ કરતા ચોકીદારે ચાર મહિના અગાઉ જીલપોલીસ વડા સહિત અલગ અલગ કચેરીએ લેખિત કરેલી ફરિયાદ નો કોઈ નિવેડો ન આવતા ફરિયાદી તંત્ર થી નારાજ.*
થરાદ ના વખારવાસ માં રહેતા અનુ.જાતિ. ભુરાભાઈ દેવસીભાઈ 55 વર્ષ ની ઉમર ના જેઓ છેલા કેટલાય સમય થી વનવિભાગ થરાદ ખાતે નર્સરી માં ચોકીદાર માં ફરજ બજાવતા હતા જેઓ ને વનવિભાગ ના કર્મીઓ દ્વારા જાતિ વાદ ની માનસિકતા થી હડધૂત કરતા જાતિ અપમાનિત થતાં વનવિભાગ ના ત્રણ કર્મચારીઓ વિરૂદ્ધ ચાર મહિના અગાઉ જીલ્લા પોલીસ વડા અને લાગતી વળગતી છો કચેરીઓ ને લેખિત ફરિયાદ કરાઈ હતી .જોકે ફરિયાદી ભુરાભાઈ એ મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું છેલા કેટલાય સમય થી વન વિભાગના નર્સરી માં ચોકીદાર તરીકે કામ કરું છું જ્યારે થરાદ વનવિાગના અધિકારીએ મને બળજબરી પૂર્વક વન્ય મરેલા પશુઓ ના મૃત દેહો ખેંચાવે છે જાતિવાદ અપમાનિત કરે છે અને જ્યારે નર્સરી માં થતી ચોરીઓ ના આરોપ પણ મારા પરિવાર પર નાખે છે વનવિાગના અધિકારીઓ એક છે ત્રણ અધિકારીઓ દ્વારા મને ઉમરલાયક વ્યક્તિ ને હેરાન કરવામાં આવે છેજોકે એવા આક્ષેપ કરવાંમાં આવ્યા હતા કે નર્સરી માં રોપાઓ સહિત ની ચોરીઓ આ કર્મચારી. ઓ કરે છે અને એમના બચાવ માટે અમારા પર આરોપ નાખે છે જોકે ખરેખર જો આ પીડિત પરિવાર સાચો છે કે ખોટો એ તો બંધારણ ન્યાય આપશે પરંતુ ઉચ્ચાધિકારીઓ તટસ્થ તપાસ કરી કોઈ નિર્દોષ ને સજા ના થાય અને દોષિત છૂટી ના જાય એવી માગ સાથે તપાસ કરવા વિનંતી જોકે ભુરાભાઈ નો પરિવાર છેલા ચાર મહિના થી બેઘર બની મોઘવારી ના સમય માં મજૂરી વિના બેઠો છે આવક વિના ઘર ચલાવવું પરિવાર ને દોહ્યું પડી રહ્યું છે
કોના સામે ફરિયાદ ની માંગ..
(૧)પટેલ તેજલ બેન
આર. એફ. ઓ.વનવિભાગ કચેરી થરાદ
(૨)પટેલ જગતભાઈ
બીડ ગાર્ડ વન વિભાગ થરાદ
(૩)અશોકભાઈ પટેલ
બીડ ગાર્ડ વન વિભાગ થરાદ
*પત્રકાર. પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા*