BANASKANTHAKANKREJ

કાંકરેજ તાલુકાના રૂની જૈનતીર્થે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળ ૨૫ વિધામાં કરોડોના ખર્ચે નિર્માણ પામશે.

સંકુલ વિશાળ જમીનમાં ૨૫ વીઘામાં નિર્માણ પામી કાર્યરત થશે

કાંકરેજ તાલુકાના હૃદયસમાં થરા ને અડીને આવેલ જૈનોના જગ વિખ્યાત રૂની તીર્થે દેવ-ગુરૂકૃપા, જૈનોની કુળદેવી શ્રી જીવદયા દેવી,શાસનરક્ષક શ્રી માણીભદ્રવીરની મહેર અને જીવદયાના આ કરૂણામંદિરમાં આવનાર અબોલ પશુઓના અનરાધાર આશીર્વાદથી કરોડોના ખર્ચે ૨૫ વિઘામાં ટૂંક સમયમાં નિર્માણ પામનાર ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાઢોર પાંજરાપોળને દાનવીર ધર્મપ્રેમી કાંકરેજી સમાજ અને જીવદયા પ્રેમી શ્રેષ્ઠીવર્યોના અકલ્પનીય સાથ સહકારથી અત્યારની ૧૦ વીઘાના સંકુલમાં નિર્માણ થવાનું હતું પરંતુ આજના મંગલ દિવસ થી બીજા ૧૫ વીઘા જમીન ખરીદ કરતા હવે આ સંકુલ વિશાળ જમીનમાં ૨૫ વીઘામાં
નિર્માણ પામી કાર્યરત થશે આ સંકુલના નિર્માણમાં સંસ્થાના પ્રમુખ ધીરજભાઈ કે.શાહ સહિત સર્વે ટ્રસ્ટીગણ તન મન ધન થી ખુબજ મહેનત કરી રહયા છે.ત્યારે રૂની પાંજરાપોળ એવમ શ્રી ઓગડવિદ્યા મંદિરના પ્રમુખ ધીરજકુમાર કે.શાહ સહિત સર્વે જીવદયા પ્રેમીની ભૂરી ભૂરી અનુમોદના વ્યક્ત કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!