JETPURRAJKOT

રાજકોટ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ એપ્રિલે યોજાશે

તા.૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરાયુ છે. જે અંતર્ગત તા. ૨૭–૦૪–૨૦૨૩નાં રોજ યોજાનાર સ્વાગત કાર્યક્રમ માટેનાં જિલ્લા કક્ષાના પ્રશ્નો ફરિયાદો તા. ૦૧–૦૪-૨૦૨૩ થી તા. ૧૦-૦૪-૨૦૨૩ સુધીમાં સંબંધિત ખાતા–વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે તે વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવાયુ છે. અરજીમાં મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.

લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા, અગાઉ સબંધીત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલ જવાબ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી, અગાઉ રજુ કરેલ પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું, પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરુ નામ, પુરેપુરુ સરનામું, અને ફોન નંબર લખવાનો રહેશે, અરજીમા અરજદારની સહી હોવી જરૂરી છે, અરજી સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે હોવી જરૂરી છે, અલગ–અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોક્લવાના રહેશે, સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજુ કરી શકશે નહીં, પ્રશ્ન અરજદારશ્રીનો પોતાનો હોવો જોઈએ – બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહી, કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં, તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સબંધીત મામલતદારશ્રીને અરજી કરવાની રહેશે.

મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો રાજકોટ જિલ્લા પૂરતા, જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૧૦-૦૪-૨૦૨૩ સુધીમાં રજુ કરવાનાં રહેશે. તા.૧૦-૦૪–૨૦૨૩ બાદ આવેલા પ્રશ્નોનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી. જેની દરેક અરજદારોએ ખાસ નોંધ લેવી.

દર્શાવેલ ખાતાઓના પ્રશ્નો જિલ્લા કલેકટર કચેરી, રાજકોટ ખાતે તા. ૨૯-૦૪-૨૦૨૩ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે કચેરીના ત્રીજા માળે સભાખંડમાં સંબંધિત ખાતાના અધિકારી અને કલેકટરશ્રી સાંભળશે. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવા ખાસ નોંધ લેવી.

તા.૧૦-૦૪-૨૦૨૩ બાદ આવેલ કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી, નામ સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોએ ખાસ નોંધ લેવાની રહેશે. તેમ કલેકટર કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયુ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!