વિજાપુર ખરોડ ગામે રામજી મંદિર પાસે આવેલ મુતરડી ની બદતર હાલત સફાઈ કરાવવા ગ્રામજનો ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ખરોડ ગામમાં આવેલ ધાર્મિક રામજી મંદિરની સામે ની સામે આવેલ મુતરડી છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામપંચાયત દ્વારા કોઈ પણ જાતની સાફ-સફાઈ કરવામા નહિ આવતા જેના કારણે આસપાસ ભારે દુર્ગંધ મારે છે અહી રામજી મંદિર આવેલું છે લોકો સવાર સાંજ દર્શન માટે આવતા જતા હોય છે મુતરડી ની સફાઈ ના થવાથી દુર્ગંધ ના કારણે દર્શનાર્થીઓ ને તકલીફ ઊભી થાય છે આ અંગે ગ્રામજનો મુકેશ ભાઈ પ્રજાપતિ ,દીક્ષિત પટેલે જણાવ્યું હતુંકે ગ્રામપંચાયત તેમજ તાલુકા પંચાયત સહિત તંત્ર ને જાણ કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા હજુ મુતરડી ની સફાઈ કરાઈ નથી હાલમાં ગ્રામ પંચાયત ની ચૂંટણી ના થઇ હોવાથી સરપંચ પણ નથી ગ્રામપંચાયત નો વહીવટ વહીવટ દાર થી ચાલે છે ગામ માં લગ્ન પ્રસંગ અન્ય પ્રસંગો માટે બહારગામ થી આવતા લોકોને પેશાબ કરવા જવા માટે મુશ્કેલીઓ ખૂબ પડે છે ઘણી વખત બહાર ગામથી આવેલ ધાર્મિક પ્રેમી મહિલાઓને જવા માટે કોઈ પેશાબખાનુ નથી જેથી મહિલાઓ ને પેશાબ જવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે અહીં મુતરડી ની સફાઈ કરાવી તેને ચાલુ કરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ દૂર થાય તેમ છે પરંતુ આ બાબતે તંત્ર ને વારંવાર જણાવવા માં આવ્યું હોવા છતાં કોઈ સાંભળતું નથી અત્રે ઉલ્લેખનીય છેકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન ખરોડ ગામના વતની છે અને ગામના વિકાસ માં અને ધાર્મિક સંસ્થા ના વિકાસ માં ઘણો સિંહ ફાળો આપ્યો છે
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.