સુર્યા ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન, ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી તેમજ આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા પંચમ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ નિમિત્તે “આરોગ્યમ્ ઇવમ્ પરામર્શ શિબિર” નું આયોજન અરવલ્લી જીલાનાં ભિલોડા તાલુકાના ભવાનપુર ગામમાં કરવામાં આવ્યું હતું. આ શિબિર માં પાંચ મહાભૂતો થકી શરીર ને કેવી રીતે સ્વસ્થ રાખી શકાય તેની જાણકારી આપવામાં આવી હતી. આ શિબિરમાં ડૉ.ઉષાબેન મકવાણા , સુર્યા એકલવ્ય સૈનિક સ્કુલ ના મેનેજર શ્રી સંજયભાઈ વશિષ્ટ, શ્રી સમર્જિતસિંહ યાદવ, શ્રી બળવંતસિંહ ડાભી, સુર્યા આદર્શ ગાંવ યોજના ગુજરાતના પ્રમુખ શ્રી મહિપતજી, શ્રી જયદીપ જી ઠાકોર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.