PANCHMAHALSHEHERA

શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવની ઉજવણી કરવામાં આવી…

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

પંચમહાલ ના શહેરા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવની ઉજવણી કરવામાં આવવા સાથે વ્યાસપીઠ પરથી ભવાની ભારતી બાપુ કથાનું રસપાન કરાવે છે.શહેરા સમસ્ત સનાતન હિંદુ સમાજ દ્વારા 25/3થી1/5સુધી શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.નગરપાલિકાના ટાઉનહોલ ખાતે શિવ મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો સહિત બહારથી થી પણ ભક્તો આ કથા નો લાભ લેવા માટે આવ્યા હતા. વ્યાસપીઠ પરથી કથાનું રસપાન ભારતી બાપુ એ કરાવ્યું હતું. .આ શિવ મહાપુરાણ કથામાં સતી પ્રાગટ્ય, પાર્વતી જન્મોત્સવ, શિવ વિવાહ, ગણેશ અને કાર્તિક્ય મહોત્સવ તેમજ હનુમાન પ્રાગટ્ય , 10 જ્યોતિર્લિંગ પૂજન સહિતના અનેક પ્રસંગો અહીં ઉજવાયા હતા. આ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ મહોત્સવ સાત દિવસ સુધી શરૂ રહેતા નગર વિસ્તારમાં ભક્તિનો માહોલ જોવા મળવા સાથે મોટી સંખ્યામાં ભક્તો એ આ કથાનો લાભ લીધો હતો. કથા નો સમય પૂર્ણ થયા બાદ અહીં કથા સાંભળવા આવતા ભક્તો માટે પ્રસાદીનું આયોજન પણ સમસ્ત સનાતન હિંદુ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતુ.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!