ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી અઘ્યક્ષસ્થાને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ હતી.
તા.08/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી જે ડી પુરોહિતની અધ્યક્ષમાં આવનારા તહેવારો રમજાન ઈદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ, રામનવમી શોભાયાત્રાને લઈને સર્વ સમાજની શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો રહ્યા હજાર ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગધા શહેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી પવિત્ર રમજાન માસમાં ઈશ્વર અલ્લાહની બંદગી રોઝા રાખીને પ્રાર્થના ઈબાદત રૂપે કરવામાં આવતા હોય છે ત્યારે પવિત્ર રમઝાન માસ પૂર્ણ થવાને આરે છે મુસ્લીમ સમાજની મોટામાં મોટી રમજાન ઈદ તહેવાર ઉજવણીના ભાગરૂપે તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જન્મ જયંતી નિમિત્તે તથા રામનવમીની રથયાત્રા નિમિત્તે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધ્યક્ષ જે ડી પુરોહિત તથા પીઆઇ એમ યુ મશીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી આ મિટિંગમાં ધાંગધ્રા શહેરના ભારતીય જનતા પાર્ટીના ધાંગધ્રા શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર સંગઠનના મહામંત્રી સંજયભાઈ ગોવાણી, હિન્દુ સમાજના આગેવાન અનિલભાઈ રાવલ, સંગઠન પ્રમુખ પત્રકાર સંગઠન પ્રમુખ હેમાબેન સિંગલ, સુધરાઈ સભ્ય ઈમ્તિયાઝભાઈ સૈયદ, સામાજિક કાર્યકરો મુસ્લિમ સમાજ ના આગેવાનો મહેબુબભાઇ જુણેજા, સિકંદરભાઈ વકીલ, હુસેનભાઇ મંડલી સહીત સમાજના આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા.