ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ જિલ્લામાં ઓઇલ પામ માટે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ

આણંદ જિલ્લામાં ઓઇલ પામ માટે મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ

તાહિર મેમણ – આણંદ – 04/07/2025 – આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત ઝુંબેશ અંતર્ગત રાજ્યના બાગાયત વિભાગ અને પતંજલિ ફૂડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાઈ હતી.

જે અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત અલારસા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી અલ્પેશભાઈ જયંતિભાઈ પટેલના ખેતરમાં ટેનેરા જાતના કુલ ૧૭૫ થી વધુ ઓઇલ પામના રોપાઓનું ૧.૨૫ હેક્ટર જમીનમાં સફળ વાવેતર કરવામાં આવ્યું છે.

તેમણે પરંપરાગત ખેતીને બદલે નવિન અભિગમ સ્વીકારી ઓઈલ પામની ખેતી તરફ વળીને વિસ્તૃત અને સ્થિર આવકનો માર્ગ અપનાવ્યો છે.

આણંદના નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. સ્મિતા પિલ્લાઈએ જણાવ્યું કે, આણંદ જિલ્લામાં કુલ ૫૮ હેક્ટરથી વધુ જમીનમાં ઓઇલ પામનું વાવેતર થયું છે. તેલની વધતી માંગને પહોંચી વળવા ઓઇલ પામ પાક શ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યો છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં કુલ ૮.૦૭ હેક્ટર જમીનમાં ઓઇલ પામનું વાવેતર કરવામાં આવ્યું છે, અન્ય પરંપરાગત તેલ પાકો પ્રતિ હેક્ટર અંદાજે ૭૦૦ કિ.ગ્રા. તેલ આપે છે, જ્યારે ઓઇલ પામ પાકથી ૫૦૦૦ કિ.ગ્રા. સુધી ઉત્પાદન શક્ય બને છે, જેનાથી આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે અને ખેડૂતો વધુ આવક મેળવી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ઓઇલ પામની યોજનામાં ખેડૂત તેમજ સંસ્થાકીય જમીન ધારકોને લાભ મળવા પાત્ર રહે છે, તેમાં તેમને પ્લાંટીંગ મટીરીયલ ઉપરાંત આંતર પાક અને ઈંટેનશ ખર્ચની સહાય મળવા પાત્ર રહે છે.

નાયબ બાગાયત નિયામકશ્રીએ સરકાર દ્વ્રારા ઓઇલ પામના ટેકાનાં ભાવ નક્કી કરવામાં આવતાં હોય ખેડૂતો એક સ્થિર આવક મેળવી શકે છે, જેથી આણંદ જિલ્લાના વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવે તેવો અનુરોધ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!