Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રીના એક ઉમદા વિચારથી ૧૮૧ બાળકોનું ભવિષ્ય સુંદર બનશે
તા.૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદનાં અધ્યક્ષ સ્થાને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એશોશિએશનની ઓફિસ શાપર ખાતે બેઠક યોજી શાળા બહારના બાળકોનો સર્વે કરવા શિક્ષણ વિભાગનાં અધિકારીઓને સુચના આપી હતી.
શિક્ષણ વિભાગ દ્રારા ખાસ ઝુંબેશના ભાગરૂપે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્વે કરાયો હતો. જેમા ૧૮૧ બાળકો મળી આવ્યા હતા. આ તમામ બાળકોને આવનાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫/૨૬ માં નજીકની પ્રાથમિક શાળાઓમાં નામાંકન કરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે.
ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રોજગારી અર્થે વસવાટ કરતા પરીવારોના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે શાળા બહારના બાળકોનો સર્વે કરવાની સુચના શિક્ષણ વિભાગનાં અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદએ સૂચના આપી હતી.
જેના અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિક્ષિત પટેલ દ્રારા શાપર વેરાવળની તમામ શાળાઓના આચાર્યોશ્રી,સીઆરસી કો-ઓર્ડીનેટરશ્રી, બીઆરસી કો-ઓર્ડીનેટરશ્રી સાથે મિટિંગ કરી, શાળા બહારના બાળકોનો સર્વે કરી તેમનું શાળામાં નામાંકન કરવા અંગેની તાકીદ કરી હતી. આ ઉમદા વિચારને શિક્ષણ વિભાગ દ્રારા ખાસ ઝુંબેશના ભાગરૂપે લઇ શિક્ષકોએ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સર્વે કરતા ૧૮૧ બાળકો મળી આવ્યા હતા. આ તમામ બાળકોને આવનાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫/૨૬ માં નજીકની પ્રાથમિક શાળાઓમાં નામાંકન કરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજકોટ અનંદુ સુરેશ ગોવિંદનાં આ ઉમદા વિચારની સરાહના થઇ રહી છે.