તા.૧૦.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod: દાહોદના મંડાવ રોડ ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલના ૩ વિદ્યાર્થીએ ધોરણ:૧૦ માં ખુબજ સારુ પરિણામ મેળવ્યું
અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન વિદ્યા ભારતી સાથે સંબદ્ધ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ,દાહોદ નું ધોરણ ૧૦ નું પરિણામ ૮૩ %
અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન વિદ્યાભારતી સંસ્કારો , રાષ્ટ્ર પ્રેમ સહિત શિક્ષણ ના ઉદ્દેશ્ય થી ૩૨૦૦૦ થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ ( શિશુ મંદિર થી લઈને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયો , કોલેજો , સૈનિકો સ્કૂલ, નિવાસી છાત્રાલયો વિગેરે ) સાથે કાર્યરત, વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી સંગઠન છે.
જેમાં બાળકો ને શિક્ષણ ની સાથે સાથે યોગ, સંગીત , શારીરિક શિક્ષણ જેવા મહત્વપૂર્ણ વિષયો નું જ્ઞાન અપાય છે. આ પૈકી દાહોદ માંડવાવ રોડ પર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર વર્ષ ૧૯૯૬ થી કાર્યરત છે. વિગત વર્ષો જેમ આ વર્ષે પણ વિદ્યાલય માં ધોરણ -૧૦ માં બોર્ડની પરીક્ષા નું પરિણામ ૮૩% આવ્યું છે. જે સંસ્થા માટે ગૌરવની વાત છે.