GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૨: ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં નવસારી જિલ્લામાં એડવેન્ચર કોર્ષ, બેઝિક કોર્ષ, અને એડવાન્સ કોર્ષનું આયોજન નવસારી જિલ્લામાં થશે. આ તાલીમનું સંભવિત આયોજન મે- ૨૦૨૫માં થશે. જેમાં ૦૭ દિવસનો રોક ક્લાઈમ્બિંગના એડવેન્ચર કોર્ષ ૦૭ થી ૧૪ વર્ષના બાળકો કુલ-૬૦ શિબિરાર્થીઓ માટે, 10 દિવસનો બેઝિક કોર્ષ ૧૪થી ૪૫ વર્ષના કુલ-૫૦ તાલીમાર્થીઓ માટે, ૧૫ દિવસનો એડવાન્સ કોર્ષ ૪૦ તાલીમાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યો છે. જેના માટે પ્રવેશપત્ર જમા કરવાની અંતિમ તારીખ આગામી તા.૦૭-૦૫-૨૦૨૫ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી, ૧૬૦૭, “કામાક્ષી” પ્રથમ માળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી-૩૯૬૪૪૫ (ઇ-મેઇલ- dydonavsari28@gmail.com ફોન નં.૦૨૬૩૭-૨૮૦૬૬૩) ખાતે પહોચાડવાનું રહેશે. છે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી,નવસારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

તસ્વીર –    પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!