
ડેડીયાપાડા ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર જીની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી
તાહિર મેમણ – ડેડીયાપાડા – 17/04/2025 – ડેડીયાપાડા ના ચિકડા ગામ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર જીની સંસ્થા ખાતે તેમની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી ભારત યાત્રા ટ્રસ્ટ ના સંસ્થાપક પૂર્વ વડાપ્રધાન સ્વર્ગિય ચંદ્રશેખરજી ની 98મી જન્મ જયંતિ નિમિતે ભારત યાત્રા કેન્દ્ર ડેડીયાપાડા ના મહામંત્રી ડો કે. મોહન આર્ય, પરિવાર તેમજ સ્ટાફગણ અને શાળા ના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ સાથે મળીને જન્મ જયંતિની ઉજવણી પુષ્પાંજલિ અર્પણ કરી અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી




