DAHODGUJARAT

દાહોદ તાલુકાના નજીક આવેલ ગામમાંથી એક પીડિત મહિલાએ કોલ કરી અને મહિલા હેલ્પલાઇનની મદદ લીધી 

તા.૧૦.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના નજીક આવેલ ગામમાંથી એક પીડિત મહિલાએ કોલ કરી અને મહિલા હેલ્પલાઇનની મદદ લીધી

ત્યાર બાદ પીડિતા એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ કે પીડિતા ના મેરેજ થયાં ને 20 દિવસ થયેલ હતા અને આજ રોજ પીડિતા તેમના પિયર માં આવી ને વાન ની મદદ લેતા કાઉન્સેલિંગ દરમિયાન જણાવેલ કે તેમના પિયર માં આવ્યા અને તેમના માતા પિતા પીડિતા ને ઘરમાં જવા દેતા ન હતા. પીડિતા એ જણાવેલ કે મારા માતા પિતા એ મારાં જબરદસ્તી થી મેરેજ કરાવેલ હતા. મને ત્યાં મારી સહમતી થી મેરેજ કરાવ્યા નથી એટલે મારે મારી. સાસરી માં મને ગમતું નથી અને મારાં પતિ જોડે પણ મારે રહેવું નથી તેમ પીડિતા એ જણાવેલ. જેથી તેમના પિયર માં પીડિતા ના પિતા ને સમજવ્યા છતાં તેઓ પણ પીડિતા ને તેમના પિયર માં રાખવા માંગતા ના હતા. જેથી પીડિતા ને રાત્રી સમયે રહેવા માટે આશ્રય મળી રહે અને પીડિતા નું તેમજ તેમના પિયર પક્ષ અને સાસરી પક્ષ નું લાંબા ગાળા નું કાઉન્સેલિંગ થઇ શકે જેથી પીડિતા ને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હેન્ડ ઓવર કરેલ છે

Back to top button
error: Content is protected !!