નવસારી જિલ્લામાં ગ્રામ્યસ્તરે ગાંધીજયંતિ નિમિત્તે ખાસ ગ્રામસભા યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
*ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ ૨૩૮ ગામોમાં “આદિ કર્મયોગી : રિસ્પોન્સિવ ગર્વનન્સ પ્રોગ્રામ” પર ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી*

ગ્રામસભામાં ગ્રામજનોને સર્વક્ષેત્રે વિકાસ પથ પર આગળ ધપાવવા, ૨૦૪૭ના વિકાસશીલ ભારતના સ્વપ્નમાં ભાગીદાર બનાવવા અને આગામી પાંચ વર્ષ માટે “વિલેજ વિઝન પ્લાન–૨૦૩૦” તૈયાર કરી તેને મંજુરી આપવામાં આવી.
ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અભિયાન અંતર્ગત જિલ્લાના ૨૩૮ આદિ સેવા કેન્દ્રો દ્વારા ફરિયાદ નિવારણ, યોજનાઓનું વિશ્લેષણ, દર અઠવાડિયે સેવાઓ તથા ગ્રામજનોની જરૂરિયાત મુજબની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ મદદનીશ કમિશનર પ્રાયોજના વહીવટદારની કચેરી વાંસદાની અખબારી યાદીમાં જણાવેલ છે .




