પોર્ટલ મારફતે જેટલી એપ્લિકેશન નિયત સમય મર્યાદામાં આવી હશે તેની ચકાસણી કરીને યોગ્ય લાગતા અખબારોને નવી પેનલ માટે માન્યતા આપવામાં આવશે.
હાલ પેનલ પરના તમામ અખબારના તંત્રીશ્રીઓને જણાવવાનું કે ઓક્ટોબર-2024 માં હાલની પેનલ રદ થઈ જશે અને પોર્ટલ મારફતે જેટલી એપ્લિકેશન નિયત સમય મર્યાદામાં આવી હશે તેની ચકાસણી કરીને યોગ્ય લાગતા અખબારોને નવી પેનલ માટે માન્યતા આપવામાં આવશે.
આ પ્રક્રિયા હાલના પેનલ પરના અખબારો અને તે સિવાય સમગ્ર રાજ્યમાંથી પ્રસિદ્ધ થતા અખબારો જે હવે પેનલ પર આવવા માંગે છે તેવા તમામે કરવાની રહેશે.
વિવિધ અખબારો દ્વારા કેટલાક પ્રશ્નો સામે આવી રહ્યા છે, જે બાબતે તમામ અખબારના તંત્રીશ્રીને જણાવવાનું કે, આપ સર્વે દ્વારા સૌ પ્રથમ પરિપત્રમાં ઉલ્લેખિત તમામ દસ્તાવેજોનો અભ્યાસ કરીને તેને પીડીએફ (PDF) ફોર્મેટમાં સંગ્રહિત કરી લેવાના રહેશે.
આપ સૌને જણાવવાનું કે જો આપની પાસે તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હશે તો એપ્લિકેશન કરવાની પ્રક્રિયા માત્ર 20-25 મિનિટની જ છે, માટે ફરીથી આપ સૌને સૌથી પહેલા તમામ દસ્તાવેજો ભેગા કરી લેવા ખાસ વિનંતી કરવામાં આવે છે.