રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025: જી.એલ.એસ યુનિવર્સિટીમાં માર્ગ સલામતી સેમિનારનું સફળ આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ના પ્રારંભે, જી.એલ.એસ યુનિવર્સિટીમાં માર્ગ સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં માર્ગ સલામતીના મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સલામતીના નિયમોનું મહત્વ સમજાવ્યું. એડિશનલ કલેક્ટર આર.ટી.ઓ જેજે પટેલે માર્ગ અકસ્માતોના આંકડાઓ રજૂ કર્યા અને અકસ્માત ટાળવા માટેના મર્યાદિત પરિપ્રેક્ષ્ય આપ્યો. રોડ સેફટી મેમ્બર અમિત ખત્રીએ યુવાનોને ટ્રાફિકના નિયમોના પાલન માટે પ્રેરણા આપી અને ટ્રાફિકના સુચારુ સંચાલનમાં સહભાગી થવા અપીલ કરી.
ટ્રાફિક બી ડિવિઝન, એલિસબ્રિજના ડી.સી.પી નીતા દેસાઈએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોને દૈનિક જીવનમાં અપનાવવા આહ્વાન કર્યું. આ સાથે આર.ટી.ઓ ઈન્સ્પેક્ટર અને રોડ સેફટી નોડલ ઓફિસર સી.આઈ મેહરાએ માર્ગ સલામતીના પરિપ્રેક્ષ્યમાં અનોખી માહિતી પૂરી પાડી.
જી.એલ.એસ યુનિવર્સિટીના ડીન અશ્વિન પુરોહિતે જણાવ્યું કે યુનિવર્સિટી શિક્ષણ ઉપરાંત વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે પણ પ્રતિબદ્ધ છે. તેઓએ જણાવ્યું કે દર વર્ષે દેશભરમાં 1,70,000થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે, જેમાં મોટાભાગે યુવાનોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગુજરાત મોટર વેહીકલ્સ ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ સેમિનારે “ધીરજ, સુરક્ષા, સલામતી અને ખંત લાવશે માર્ગ અકસ્માતોનો અંત” વિષય પર જાગૃતિનો સંદેશ પ્રસરે છે.
વિદ્યાર્થીઓના ઉત્સાહ સાથે આ સેમિનાર સફળતાપૂર્વક પૂર્ણ થયો, જે માર્ગ સલામતીના પ્રત્યેક પાસાને અનુક્રમિત કરીને એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે.