અમરેલી ઇન સર્વિસ ડોક્ટરોએ આપ્યું આવેદનપત્ર
અમરેલી ઈન સર્વિસ ડોક્ટરો દ્વારા વહીવટી પ્રશ્નોના નિરાકરણ બાબતે ક્લેક્ટરશ્રી અને ડીડીઓશ્રીને આવેદનપત્ર આપી નિરાકરણ માટે રજૂઆત કરાઈ
સરકારી હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા તબીબી અધિકારીઓ દ્વારા વહીવટી પ્રશ્નોના નિરાકરણ બાબતે ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિએશનના નેજા હેઠળ તબીબોના વણ ઉકેલ્યા વહીવટી પ્રશ્નો બાબતે અમરેલી જીલ્લા કલેકટરશ્રી તેમજ જીલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાયિક રજૂઆત કરવા જણાવેલ છે.જેમા સેવા સળંગ અને ઉચ્ચતર પગાર સહિતના પ્રશ્નો સામેલ છે.
અમરેલી ઈન સર્વિસ ડોક્ટરો દ્વારા ૨૦૨૨ ની શરૂઆતમાં આંદોલન કરી અનિશ્ચિત મુદતની હડતાલ પાડેલ હતી તે સમયે સરકારશ્રી દ્વારા તમામ માગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી નિરાકરણ લાવવા માટે બાહેધરી આપતા આંદોલન સમેટાયુ હતુ.પરંતુ આજદિન સુધી તબીબોના વહીવટી પ્રશ્નો જેવા કે ઉચ્ચતર પગાર ધોરણનો સમયસર લાભ,સમયસર સેવા સળંગ અને દર વર્ષે સિનિયોરીટી લિસ્ટ બહાર પાડવાનું હોય છે જેમનું યોગ્ય નિરાકરણ થઈ શકેલ નથી.જયારે સામુહિક આરોગ્ય કેન્દ્રો કે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડેન્ટલ તબીબોને ઉચ્ચત્તર પગારધોરણનો લાભ આવવામા આવે
સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ભારત સરકારશ્રીની ગાઈડ લાઈન પ્રમાણે છ તબીબી અધિકારીઓની પોસ્ટ ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ હેઠળ હોવી જોઈએ તે મુજબ હાલમાં ફક્ત ત્રણ તબીબોનુજ મહેકમ જોવા મળે છે.આમ ઉપરોક્ત વહીવટી પ્રશ્નો બાબતે નિરાકરણ ન આવતા અમરેલીના ડોક્ટર ગ્રુપના પ્રતિનિધિ દ્વારા ૧૭ માર્ચના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્ય વિભાગના મંત્રીશ્રીના કાર્યાલય ખાતે આવેદનપત્ર આપી પ્રશ્નોનું યોગ્ય ન્યાયિક નિરાકરણ લાવવા માટે જણાવેલ છે.
તબીબોના વહીવટી પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન આવે તો તારીખ ૭ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસે સમગ્ર ગુજરાત સહિત અમરેલી જીલ્લાના તબીબો માસ સીએલ ઉપર જશે તેવી રજૂઆત કરવાના આવી હોવાનુ ઈન સર્વિસ ડોકટરોની અખબારી યાદીમાં જણાવેલ છે.