AMRELIRAJULA

નાગેશ્રી પાસેના મોમાય માતાજીના વડ ખાતે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ ની દિવ્ય પારાયણ. 

યોગેશ કાનાબાર રાજુલા

નાગેશ્રી પાસેના મોમાય માતાજીના વડ ખાતે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ ની દિવ્ય પારાયણ.

બાબરીયા વાડ કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા ભવ્ય આયોજન. –વક્તા તરીકે લાખણશીભાઈ ગઢવી જુનાગઢ વાળા બીરાજશે.

શ્રી મોરારીબાપુ સહિતના સંતો તેમજ આઈમાઓ શ્રી ની પ્રેરક ઉપસ્થિતિ અને દેવાતભાઈ ખવડ તથા અન્ય કલાકારો ડાયરા માં રમઝટ બોલાવશે. બાબરીયા વાડ ના નાગેશ્રી પાસેના મોમાઈ માતાજી ના વડ ખાતે શ્રીમદ દેવી ભાગવત પુરાણ મોમાઈ વડ ના સુર્યપ્રકાશ દાસજી ઉદાસીન સંત તથા બાબરીયા વાડ કાઠી ક્ષત્રીય સમાજ દ્વારાઆગામી તા.૧૨/૫/૨૫ ને સોમવાર થી ૨૦/૫/૨૫ ને મંગળવાર સુધી સવાર ના ૯.૦૦ થી ૧.૦૦ સુધી જુનાગઢ ના લોકસાહિત્યનું ઘરેણું અને વક્તા લાખણશીભાઈ ગઢવી કથા રસપાન કરાવશે. .તા.૧૨/૫/૨૫ ના રોજ બપોરે ૩.૩૦ થી પોથીયાત્રા બલાડ માતાજી નો મઢ નાગેશ્રી થી મંદિરે થી મોમાઈ માતાના વડ કથા સ્થળ સુધી જશે.સાજે ૫.૦૦ કલાકે હાજર સંતો મહંતો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવશેતા..૧૬/૫/૨૫ ના રોજ કૃષ્ણ જન્મ તેમજ તા.૧૮/૫/૨૫ ના રોજ દુર્ગા પ્રાગટ્ય જેવા ઉત્સવો ઉજવાશે. કથા દરમ્યાન તા. ૧૩/૫/૨૫ ને મંગળવારે સાજે સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર દેવાતભાઈ ખવડ, ભરતદાન ગઢવી, વિરાજ કામળીયા, જસુબેન આહિર દ્વારા લોકસાહિત્ય અને ભજન સંતવાણીના કાર્યક્રમો યોજાશે.આ કથા દરમ્યાન ગુજરાત સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ જગ્યાઓ ના સંતો મહંતો હાજરી આપશે જેમાં દાન મહારાજની જગ્યાના વલકુબાપુ ચલાલા, વિજય બાપુ સતાધાર, પુ. નિર્મળાબા પાળિયાદ, તથા ભયલુ બાપુ પાળિયાદ, રાજેન્દ્ર દાસ બાપુ રામપરા,શેરનાથબાપુ જુનાગઢ, કિશોર બાપુ સોનગઢ, શાંતિ બાપુ નવા સુરજ દેવળ,અમરગીરીબાપુ ગરાળ, બાબુભાઈ બાપુ વાવડી,દાદ બાપુ મોલડી, ભરતબાપુ ધજાળા,દિલીપદાસ બાપુ જુના સુરજ દેવળ,શ્યામ બાપુ સરસીયા,પુજારી દાદા ડેડાણ,મોહનદાસબાપુ રાતડી,નાથજી બાપુ ચકોદર,બાપુ બાપુ સાવરકુંડલા, જીલુબાપુ કરજાળા,ભરતદાસબાપુ જામકા,પ્રભુદાસ બાપુ કરજાળા,જમનાદાસ બાપુ ઉચૈયા,સીતારામ બાપુ ગાંગડા,ભીમપુરીબાપુ કંટાળા, બાલકદાસબાપુ ભટ્ટવદર, હરીદાસબાપુ, દિનબંધુદાસબાપુ ભાચા,ગોરા બાપુ નાગધ્રા, દિપકજતીબાપુ દેવગામ, વસંતદાદા ટીમ્બી,રસીક ભગત ભટ્ટવદર, બાપુ બાપુ સાવરકુંડલા. સહીત સંતો ઉપસ્થિત સૌરાષ્ટ્રની આઈ મા શ્રી દેવલ માં બલિયાવડ આઈ શ્રી વાલબાઈ માં શક્તિધામ આઈમાં શ્રી મનુમા નાગલને તથા રૂપલમાં રામપરા તથા જ્યોતિ મૈયા તથા પૂજ્ય કાના તળાવ આઈ શ્રી સોનલ માં વરસડા પૂજ્ય વિનુ બાખ. ડકાળા તથા પૂજ્ય કિરણબા ઇંગોરાળા ડુંગરી રહેશે.બાબરીયાવાડ કાઠી ક્ષત્રીય સમાજ અને મોમાઈ માતાજી સેવક સમાજ આ કથા ની તડામાર તૈયારી કરી રહેલ છે. આ કથામાં ઉપસ્થિત રહેવા સૂર્યપ્રકાશ દાસજી મહારાજ ઉદાસીન તથા બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય સમાજનું જાહેર આમંત્રણ અને નિમંત્રણ છે

Back to top button
error: Content is protected !!