યોગેશ કાનાબાર રાજુલા
પહેલગામ આંતકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપતું રાજુલા સમસ્ત મુસ્લિમ સમાજ
સમગ્ર દેશમાં હાલ
પહેલગામે બનેલ ઘટનામાં સમગ્ર દેશમાં જ્યારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ શહેરોમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો તેમજ રાજુલા શહેરની કાન્હા વિશ્વવિદ્યાલય ના વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિનો પાઠવ્યા બાદ આજે રાજુલા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજુલા ખાતે આવેલ તબક્કલ નગરમાં આવેલ મસ્જિદ ખાતે શુક્રવારના નમાજ પૂર્ણ થયા બાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રાખી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી તેમજ દરેક યુવાનોએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારે રાજુલા શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ જણાવ્યું કે આ જે ઘટના બની છે તે દુઃખદ ઘટના છે અને આ ઘટનાને રાજુલાના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે ત્યારે રાજુલા શહેરના મુસ્લિમ અગ્રણી અને સાથે એડવોકેટ એવા રાજુભાઈ જોખિયા જણાવ્યું કે આ નિર્દોષ લોકો પર હુમલો કરનાર આંતકવાદીઓને વહેલી તકે તાત્કાલિક પકડી અને સજા મળે તેવી અમારી સમસ્ત મુસ્લિમ સમાજ ની માગણી છે