GUJARAT

ડાંગ જિલ્લાનાં ખ્રિસ્તી સમાજ ઉપર ધર્માંતરણ અંગેના આક્ષેપ કરવાનાં મામલે જિલ્લા કલેકટરને આવેદન પત્ર અપાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખ્રિસ્તી સમાજ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપ સાથે અનેક આવેદનપત્ર આપવા આવેલ છે.ત્યારે ડાંગ જિલ્લાના ખ્રિસ્તી સમાજ ઉપર ધર્માંતરણ અંગેના ખોટા આક્ષેપ કરવાનાં મામલે ડાંગ ખ્રિસ્તી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.ડાંગ ખ્રિસ્તી સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર,અરજદારો ખ્રિસ્તી ધર્મનાં સિધ્ધાતો અને ઉપદેશોથી પ્રેરિત થઇ ખ્રિસ્તી ધર્મમાં આસ્થા અને શ્રધ્ધા રાખી એનુ પાલન કરે છે અને ખ્રિસ્તી સમાજ દ્વારા અન્ય ધર્મના લોકોને કે કોઈ સમૂદાયને ખ્રિસ્તી સમાજ થકી કોઈ હેરાનગતી કે અન્ય સમુદાયને અપમાન થાય તેના કઇ કૃત્ય કરેલ નથી, કે ખ્રિસ્તી સમાજ દ્વારા કેહવાતી ધર્મ પરીવર્તનની કોઇ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. તેમ છતા ખ્રિસ્તી સમાજને ડાંગ જિલ્લા બહારના વ્યક્તિ મહેન્દ્રસિંહ રાજપુરોહિત તે હિન્દુ સંગઠના રાષ્ટ્રીય મહામત્રી દ્વારા ડાંગ જિલ્લાના ભોળા આદિવાસી જુવાનોને ગેરમાર્ગે દોરી ગેરકાયદેસર સંગઠન બનાવી તેનું નામ અગ્નિવિર રાખી ખ્રિસ્તી લોકો ને ટાર્ગેટ બનાવે છે. ગત તારીખ 28/04/2025ના રોજ જુનેર ગામે યોજેલ ખ્રિસ્તી સમાજની ધાર્મિક ભક્તિ સભામાં ગેરકાયદેસર રીતે સભામાં ખલેલ પાડેલ હતી.તેમજ ખ્રિસ્તી આગેવાનોને ચમકાવીને એવો આરોપ લગાવેલ કે ખ્રિસ્તી સમાજ બળ જબરી થી ધર્મ પરિવર્તન કરાવે છે.તેવા ખોટા પાયા વગરનાં આક્ષેપો કરેલ છે અને તારીખ 02/05/2025 ના રોજ પણ ખ્રિસ્તી  સમાજ પર ખોટા આક્ષેપ કરી  હિન્દુ સંગઠન દ્વારા ગેરમાર્ગે દોરવાનું પ્રયત્નો કરેલ છે. અને આવેદનમાં  ખ્રિસ્તી સમાજ પર કરવામાં આવેલ આક્ષેપો પાયા વગરનાં છે.ખ્રિસ્તી સમાજ દ્વારા ચાલતી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં શિક્ષણ કાર્ય આરોગ્ય ને લગતી સેવાઓ તથા સામાજિક ઉત્કર્ષ માટેની સેવાઓ કરવામાં આવે છે.ખ્રિસ્તી પાળકો કે મિશનરી ઓ દ્વારા કોઈપણ પ્રકારની લોભ લાલચ કે પ્રોલોભનો આપી બળ જબરીથી ધર્માતરણ કરવામાં આવતું હોવાની વાત પાયા વગરની છે.જો ધાક દબાણ કરી ને કે લોભ લાલય આપી ને ખ્રિસ્તી બનાવી ધર્માંતરણ કરવામાં આવતું હોય તો કોઈ વ્યક્તિ તે અંગે ફરિયાદ કેમ કરતું નથી.આ કહેવાતા આક્ષેપો પાયા વગરનાં છે બળ જબરીથી ધર્માંતરણ કરવા અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશન દ્વારા આજ દિન સુધી નોંધાયેલ નથી.ભારતના બંધારણ આર્ટિકલ્સ ૨૫ મુજબ દેશમાં દરેક નાગરિકને ધર્મ સ્વતંત્રતા આપેલ છે.જે કોઈ પણ ધર્મ પાળી શકે છે, પ્રચાર પ્રસાર કરી શકે છે.તેવી બંધારણીય જોગવાઈ કરેલ છે.જેથી આ સમગ્ર મામલે યોગ્ય ધ્યાન આપવામાં આવે તેવી માંગ સાથે ખ્રિસ્તી સમાજ એ ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ..

Back to top button
error: Content is protected !!