DAHODGUJARAT

દાહોદ જિલ્લાનાં ગામોમાં થયેલ વાવાઝોડામાં નુકશાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી સત્વરે વળતર ચૂકવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

તા.૦૯.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં અચાનક કુદરતી આફત આવી પડી અને વિનાશક વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લાનાં ગામોમાં થયેલ વાવાઝોડામાં નુકશાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરાવી સત્વરે વળતર ચૂકવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લામાં અચાનક આવી પડેલ વિનાશક વાવાઝોડાના કારણે દાહોદ જિલ્લામાં આવેલ સમગ્ર ગામોમાં આ વિનાશક વાવાઝોડાના કારણે જાન, માલ,મકાનોમાં આગની ઘટનાઓ બનતા અનેક પરિવારોએ પોતાની છત ગુમાવી દીધેલ છે અને તેની સાથે તેમના ઘરોમાં રહેલ અનાજ અને રાચર -ચિલ્લું પણ બળી ને ખાખ થઈ ગયું છે.તેવા પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું બન્યું છે. અને તેવા પરિવારોની વર્ષો થી મહેનત મંજૂરી કરી ભેગી કરેલ મહામૂલી મૂડી સોના, ચાંદીના દાગીના અને કપડા,રૂપિયા પૈસા પણ બળીને ખાખ થઈ ગયુ છે. આવી રીતે આવા અનેક પરિવારો નોંધારા બન્યા છે. તેવા પરિવારોને તાત્કાલિક વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજુઆતો કરી છે

Back to top button
error: Content is protected !!