ARAVALLIMODASA

Aravalli : મોડાસામાં પાટીદાર સમાજ આયોજીત રમઝટ નવરાત્રી નો થનગનાટ, 5 વર્ષમાં મંગલ પ્રવેશ

અહેવાલ

અરવલ્લી:હિતેન્દ્રભાઈ પટેલ

અરવલ્લી : મોડાસામાં પાટીદાર સમાજ આયોજીત રમઝટ નવરાત્રી નો થનગનાટ, 5 વર્ષમાં મંગલ પ્રવેશ

હિન્દૂ ધર્મ નો સૌથી મહત્વ નો તહેવાર એટલે નવરાત્રી હવે નવરાત્રીના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખેલૈયાઓ પણ થનગનાટ થઇ રહ્યા છે અને આ સાલે પણ ગરબાની રમઝટ સાથે દરેક માં ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે વિવિધ જગ્યાએ નવરાત્રી નું આયોજન પણ પૂરજોશમાં ચાલી રહયું છે અને આયોજકો દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે

મોડાસા શહેરી વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય વર્ષ થી પાટીદાર સમાજ દ્વારા ખાસ રમઝટ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવી રહયું છે અને આ વર્ષે પણ પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રી મહોત્સવ 2003 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. રમઝટ નવરાત્રી મહોત્સવ ની અંદર ખેલૈયાઓ સારી રીતે ગરબા રમી શકે તે માટે ખાસ મોટા ગ્રાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ રમઝટ નવરાત્રી મહોત્સવની અંદર 200 થી વધુ સ્વયંસેવકો જોડાશે તેમજ નવ દિવસ દરમિયાન વિવિધ ગુજરાતી કલાકારો ગુજરાતી ગરબા ની રમઝટ બોલાવશે ત્યારે ખેલૈયાઓ પણ ગરબા રમવા માટે ઉત્સુક બન્યા છે ત્યારે આ વર્ષે પણ મોડાસાની ખૂબ આન અને શાન સાથે થનગનાટ બોલાવતી એવી નવરાત્રી એટલે પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રી જે આ વર્ષે પણ ધૂમ મચાવશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!