GUJARATIDARSABARKANTHA
સારંગપુર ખાતે તમામ તાલુકાની પ્રથમ બેચની ત્રિ-દિવસીય પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ પુર્ણ કરાઈ
સારંગપુર ખાતે તમામ તાલુકાની પ્રથમ બેચની ત્રિ-દિવસીય પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ પુર્ણ કરાઈ
**
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત બી.એ.પી.એસ. સારંગપુર, યજ્ઞપુરુષ પ્રાકૃતિક કૃષિ ફાર્મ અંતર્ગત પ્રમુખસ્વામી પ્રાકૃતિક કૃષિ તાલીમ/પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકાની ત્રિ-દિવસીય તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ બેચની તાલીમ ૧૦ જુનથી શરૂ કરાઈ હતી.જેમાં સાબરકાંઠા જિલ્લાના તમામ ૮ તાલુકાની તાલીમ પુર્ણ કરવામાં આવી હતી. જ્યાં દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતીના તમામ આયામોની અને પાક સંરક્ષણ માટે નિમાસ્ત્ર,બ્રહમાસ્ત્ર,અગ્નિઅસ્ત્ર,દશપર્ણી અર્ક વગેરેની પ્રેક્ટિકલ સાથેની સંપુર્ણ અને સચોટ માહિતી પુરી પાડવામાં આવી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા