તા.૦૨.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની સરકારી ઇજનેરી કોલેજના એનએસએસ યુનિટ દ્વારા મેદસ્વીપણા સામે લડવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
દાહોદની સરકારી ઇજનેરી કોલેજના એનએસએસ યુનિટ દ્વારા મેદસ્વીપણા સામે લડવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થૂળતા ઘટાડવા માટે વ્યક્તિએ તંદુરસ્ત આહાર અને નિયમિત કસરતના સંયોજન પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે સંતુલિત આહાર, કેલરીનું પ્રમાણ ઘટાડવું અને શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરવો એ ચાવીરૂપ બાબત છે. સ્થૂળતા ઘટાડવા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે વિડિઓઝ દર્શાવી જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સક્રિયપણે ભાગ લીધો હતો