BANASKANTHADEESA

સોતમલા માધ્યમિકશાળામાં પૂજ્ય ગુરુમહારાજનું ભવ્ય પ્રવચન યોજાયું

આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજશ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં સોતમલા માધ્યમિકશાળામાં ભવ્ય પ્રવચન યોજાયું.પૂજ્ય ગુરુમહારાજનું સ્વાગત સામૈયા સાથે કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુ મહારાજે બાળકોને ભવ્ય માનવકાર્ડના નિયમોની સમજૂતી આપી હતી. જો તમે આ નિયમોનું પાલન કરશો તો એક સમયે તમે એક સારા માણસ જ નહિં પણ પોતાના ગામને પણ સારું બનાવી શકશો. પૂજ્ય ગુરુમહારાજે બાળકોને ઉત્તરાયણ વિશે જણાવ્યું હતું કે ઉત્તરાયણ દાન આપવાનો તહેવાર છે.અંતે દરેકને પૂજ્ય ગુરુમહારાજે આશિર્વાદ આપ્યા હતા.

ભરત ઠાકોર ભીલડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!