હાલોલ ગોધરા રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૧.૨૦૨૫
સમગ્ર દેશભરમાં રવિવારે 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી.જે અંતર્ગત હાલોલ નગરના ગોધરા રોડ પર આવેલ સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પણ 76 માં પ્રજાસતાક પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસભેર અને ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી હતી.આ ઉજવણીને લઇને ધ્વજ વંદન કાર્યક્રમનાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના રેખાબા ચગ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.જ્યારે સ્કુલ દ્વારા આદરણીય રેખાબા નું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળા ખાતે દેશભક્તિ ગીતોનું સ્પર્ધા તેમજ હાલમાં ચાલી રહેલા મહાકુંભ ને લગતી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઇ અલગ અલગ કૃતિઓ રજૂ કરી સૌ કોઈને આકર્ષિત કર્યા હતા.આ પ્રસંગે સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ના સંત શ્રી કેશવ સ્વરૂપદાસ મહારાજ તેમજ સંત શ્રી સંત પ્રસાદ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ,વાલીઓ અને નગરજનો હાજર રહી આ 76માં પ્રજાસતાક પર્વની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવી હતી.