BHARUCHNETRANG

ધોરણ ૧૦ બોર્ડનું નેત્રંગ કેન્દ્ર નું ૯૪.૧૬ ટકા અને થવા કેન્દ્રનું ૯૧.૨૭ ટકા પરિણામ.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

કારકિર્દીના પ્રથમ પગથિયા સામાન બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવામાં આવેલી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ત્યારે આ વર્ષે પરિણામમાં રેકોર્ડ બ્રેક વધારો થયેલો જોવા મળી રહ્યો છે.

 

જેમાં નેત્રંગ કેન્દ્ર નું ૯૪.૧૬ ટકા અને થવા કેન્દ્રનું ૯૧.૨૭ ટકા પરિણામ આવ્યું છે. જેમાં નેત્રંગ તાલુકામાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) – શણકોઇનું ૧૦૦ ટકા, શ્રી કૃષ્ણ આશ્રમ શાળા – થવાનું ૧૦૦ ટકા, શ્રી સાંદિપની માધ્યમિક શાળા – નેત્રંગનું ૧૦૦ ટકા, શ્રી નવરંગ વિદ્યામંદિર – મોરીયાણાનુ ૯૯.૦૧ ટકા, શ્રી એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય – થવાનું ૮૭.૭૭ ટકા પરિણામ નોંધા

યું છે.

Back to top button
error: Content is protected !!