BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

નિરમા લિમિટેડનાં સૌજન્ય થી શિશુવિહાર ની આરોગ્ય શિબિર યોજાય

શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં રોજ ભાલ વિસ્તારનાં સવાઈનગર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૯૬ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ.અરવિંદભાઈ ત્રિવેદી અંકિતાબેન ભટ્ટ રેખાબેન ભટ્ટ હિનાબેન ભટ્ટ કમલેશભાઈ વેગડ તથા નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના જયભાઈ દવે તથા ગામનાં સરપંચ ભરતભાઈ તથા આચાર્ય હરેશભાઈ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ.આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!