Rajkot: “જનભાગીદારી દ્વારા જળસંચય” ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં સહયોગથી રાજકોટની સરકારી કચેરીઓમાં બોર રિચાર્જિંગ શરુ કરાયું
તા.૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જળ સંચયની કામગીરી કરવા સરકાર કટિબદ્ધ છે, આ કામગીરીમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈને પોતાનો સહયોગ આપી રહી છે. ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં સહયોગથી રાજકોટની સરકારી કચેરીઓમાં બોર રિચાર્જિંગ શરુ કરાયું હતુ.
ભારત સરકારના જળ મંત્રાલયના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં અને રાજ્ય સરકારનાં સંકલનમાં જળ સંચયની પરિણામલક્ષી પ્રવૃત્તિમાં વિવિધ સંસ્થાઓ તેમજ લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે.
ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૬૫૦થી વધુ બોર રિચાર્જ કરવામાં આવ્યા છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ સ્થિત સરકારી કચેરીઓમાં આજથી બોર રિચાર્જિંગ શરુ કરવામાં આવ્યું હતુ.
કલેકટરશ્રી પ્રભવ જોશીના પ્રત્યક્ષ સંકલનમાં અધિકારીશ્રીઓ પણ આ બોર રિચાર્જિંગમાં જોડાયા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની સંકલ્પના પ્રમાણેનું ઉમદા કાર્યનો આજથી પ્રારંભ થયો હતો.