ખેરગામમાં રસ્તા બનાવવામાં ભ્રષ્ટચાર કાર્યનો તા.પં.સભ્યનો આક્ષેપ.
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકામાં તાલુકા પંચાયત દ્વારા બનાવવામાં આવેલા કેટલાક રસ્તા બાબતે રસ્તા નબળી ગુણવત્તા ધરાવતા અને એસટીમેન્ટ મુજબના રસ્તા ન બનાવી ભ્રષ્ટચાર કર્યા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના કેટલાક સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે.
તાલુકા પંચાયત સભ્ય વિભાબેન જયેશભાઇ પટેલે કરેલી રજુઆત મુજબ તેમના મત વિસ્તાર ખેરગામ પોમાપળ ફળિયામાં હનુમાન મંદિરથી મુકેશભાઈ ગોવાનભાઈના ફળિયામાં જતો રસ્તો બનાવવા અંદાજીત ત્રણ લાખની ગ્રાન્ટ એટીવીટી 2022-23 યોજના હેઠળ મંજુર થઈ હતી.પરંતુ આ રસ્તો મંજુર થયેલ સ્થળ ઉપર બન્યો નથી અને બીજા મહોલ્લામાં રસ્તો બનાવ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.તેમજ હાલમાં બીજા મહોલ્લામાં બનાવેલો રસ્તો નબળી ગુણવત્તા ધરાવતો અને એસતીમેન્ટ મુજબ કામ પણ નથી થયું અને આ રસ્તા પર ફક્ત ને ફકત સિલકોટનું કામ કરવામાં આવેલ છે અને એની થિકનેશ પણ નબળી હોવાનું જણાવી આ બાબતે તત્કાલોક બીજા મંજુર થયેલા કામોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.