GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન” અંતર્ગત નવસારીના લુંસીકુઈ ખાતે કાઉન્ટ ડાઉન યોગ શિબિરનું આયોજન..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના લોકોમાં યોગ વિશે જાગૃતિ ફેલાય તથા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને આગળ વધારવાના હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (ગુજરાત સરકાર) દ્વારા ૩ મે ૨૦૨૫ ના રોજ સવારે ૫:૩૦ વાગે નવસારીના લ્યુંન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે નવસારીના નાગરિકો માટે કાઉન્ટ ડાઉન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નીરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે .
આ શિબિરમાં શ્રેષ્ઠ યોગ ગુરૂઓની હાજરી અને માર્ગદર્શન હેઠળ યોગના વિવિધ આસનો, શ્વાસની ક્રિયાઓનું જ્ઞાન આપવામાં આવશે . આ શિબિર થકી નવસારી જિલ્લામાં આરોગ્યમય જીવનશૈલી તથા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન તરફનો મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
તસવીર –પ્રતિકાત્મક