DAHODGUJARAT

દાહોદના ગુરૂદ્રારામાં થયેલ યુવતીની હત્યાના બનાવમાં દાહોદ નામદાર કોર્ટએ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ

તા.૦૯.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગુરૂદ્રારામાં થયેલ યુવતીની હત્યાના બનાવમાં દાહોદ નામદાર કોર્ટએ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ

દાહોદ શહેરમાં વર્ષ ૨૦૨૦ એટલે કે કોરોના લોકડાઉનના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરના ગુરૂદ્વારામાં એક પ્રેમીએ પોતાની પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી દીધાં બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો જેમાં આ કેસ દાહોદની કોર્ટમાં ચાલી જતાં દાહોદની નામદાર કોર્ટ દ્વારા આરોપી પ્રેમી યુવકને આજીવન કેદની સજાના ફરમાન સાથે દંડનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે

દાહોદ શહેરના ગુરૂદ્વારામાં વર્ષ ૨૦૨૦ એટલે કે, તારીખ ૦૮.૦૭.૨૦૨૦ના રોજ પ્રેમ પ્રકરણમાં ખુની ખેલ ખેલાયો હતો. જેમાં પ્રેમીકાના અન્ય સ્થળે લગ્ન નક્કી થઈ જતાં અને તે સમયે પ્રેમીએ પ્રેમીકાને મળવા બોલાવી હતી અને જે સમયે દાહોદ શહેરના ગુરૂદ્વારામાં પ્રેમીએ પ્રેમીકાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વળે ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યાે હતો. આ સમગ્ર પ્રકરણને પગલે દાહોદ જિલ્લામાં જેતે સમયે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. સમગ્ર બનાવનો મામલો એવો છે કે, આરોપી પંકજભાઈ લાલાભાઈ વણઝારા (રહે.ઝાલોદ, લીમડી, તા.ઝાલોદ, જિ.દાહોદ) નો અને ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતાં ૧૯ વર્ષીય સીરીનબેન સલામભાઈ ભટીયારા બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. તે સમયે સીરીનબેનના લગ્ન નક્કી પરિવારજનો નક્કી કરી દીધાં હતાં. સીરીનબેનના લગ્ન તારીખ ૧૦.૦૭.૨૦૨૦ના રોજ થવા જઈ રહ્યાં હતાં ત્યારે તે પહેલા એટલે કે તારીખ ૦૮.૦૭.૨૦૨૦ના રોજ સીરીનબેન લગ્નની ખરીદી માટે દાહોદ આવ્યાં હતાં. આ દરમ્યાન સીરીનબેનનો સંપર્ક પોતાના પ્રેમી આરોપી પંકજભાઈ વણઝારા સાથે થયો હતો અને આરોપી પંકજભાઈએ સીરીનબેનને ધાકધમકીઓ આપી મળવા માટે મજબુર કરી હતી ત્યારે તે દિવસે સીરીનબેન આરોપી પંકજભાઈ વણદારાને મળવા માટે ગુરૂદ્વારા ખાતે ગયાં હતાં તે સમયે સીરીનબેન પોતાના સ્વજન રોશનીબેન હુસેનભાઈ ભટીયારાને સાથે લઈ ગુરૂદ્વારા ખાતે આરોપી પંકજભાઈને મળવા માટે ગયાં હતાં ત્યારે ગુરૂદ્વારાની બહાર રોશનીબેનને ઉભા રાખી આરોપી પંકજભાઈ અને સીરીનબેન બંન્ને બાથરૂમમાં મળવા ગયાં હતાં જ્યાં આરોપી પંકજભાઈએ સીરીનબેનને પોતાની સાથે લાવેલ તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા મારી લોહીલુહાણ કરી નાંખી હતી અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો ત્યારે બહાર ઉભેલ રોશનીબેન થોડીવાર બાદ બાથરૂમ તરફ જતાં આરોપી પંકજભાઈ અને સીરીનબેન બંન્ને લોહીલુહાણ હાલતમાં નજરે પડતાં બુમાબુમ મચી ગઈ હતી અને આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયાં હતાં અને આ મામલાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં બંન્નેને નજીકના દવાખાને લઈ જવામાં આવતાં જ્યાં તબીબોએ સીરીનબેનને મૃત ઘોષિત કરી હતી જ્યારે આરોપી પંકજભાઈ બચી જતાં સારવાર લઈ રહ્યો હતો. આ તમામ મામલાનો કેસ દાહોદની નામદાર કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે આ કેસના વકીલ જીતેશભાઈ લાલપુરવાલાએ કોર્ટમાં જરૂરી પુરાવાઓ અને ધારદાર દલીલો કરતાં આરોપી પંકજભાઈ ભટીયારાને દાહોદની કોર્ટે આરોપી જાહેર કરી આરોપી પંકજભાઈને આજીવન કેદની સજાની સાથે સાથે ૧૦ હજારના દંડની રકમનો હુકમ ફરમાવ્યો હતો અને જાે આરોપી પંકજ ભટીયારા દંડની રકમ ન ભરે તો વધુ ૦૬ માસની સાદી કેદની સજાનો હુકમ પણ દાહોદની નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો

Check Also
Close
Back to top button
error: Content is protected !!