વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તા ૩/૯/૨૦૨૩ ના રોજ કોલેજમા સંસ્કૃત દિવસની ઉજવણી ની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામા આવી . પ્રારંભે પ્રા. શ્રી મિલન વ્યાસ સાહેબે ઉદ્દબોધન કરી સંસ્કૃત ભાષાના ઇતિહાસ વિશે વાત કરી, ત્યાર બાદ સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડો. ભાનુ રાઠોડે સંસ્કૃત ભાષાનું મહત્વ અને તેના ઉપયોગ વિશે સરસ ચર્ચા કરી તથા સંસ્કૃત મા અનુવાદ કરેલી રચનાનું તેમણે ગાન કર્યું . ત્યાર બાદ વિભાગ બીજા અધ્યાપિકા તથા વિદ્યાર્થીઓ એ પણ સંસ્કૃત રચનાઓનું ગાન ને પઠન કર્યું . અંત મા ઇતિહાસ ના અધ્યક્ષા ડો. દેશળ રાજબા એ ઇતિહાસ અને સંસ્કૃત ના અનુબંધ વિશે વાત કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમ ૫ ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવ્યું અને કાર્યક્રમ ને સફળ બનાવવા વિદ્યાર્થીઓ ને માર્ગ દર્શન ડો. ભાનુ રાઠોડે આપ્યું હતું.