AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ અટકાવવા માંગ ઉઠી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય જેને અટકાવવામાં આવે તેવી માંગ સાથે સુબીર તાલુકા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ રેલી યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના દરેક વિસ્તારમાં આદિવાસીઓની વસ્તી હોય, સુબીર તાલુકામાં એક પણ વ્યક્તિ ધર્માંતરીત થઈને ખ્રિસ્તી કાયદેસર બનેલ હોય એવુ સરકારી ચોપડે નોંધાયેલ નથી.તેમ છતાં છેલ્લા કેટલાંક સમયથી આદિવાસી વિસ્તારમાં સુબીર તાલુકામાં કાયદાનો ભંગ કરી બિન અધિકૃત રીતે ધર્મ પરીવર્તન કરાવવા માટે ખ્રિસ્તી ધર્મની કેટલીક મંડળીઓ દ્વારા સેમીનાર અને વિવિધ કાર્યોક્રમો, સભા મેળાઓ વારંવાર કરાવવામાં આવે છે.એ ખ્રિસ્તી લોકોના માત્ર ઉદ્દેશ આદિવાસી સમાજના વધુમાં વધુ લોકોનું ધર્મપરિવર્તન કરવાનો હોય છે.સુબીર તાલુકામાં આદિવાસી સંપુર્ણ વિસ્તાર છે.અને આદિવાસી વસ્તી છે.તો અનુસુચિ-૫, પ્રમાણે ખ્રિસ્તી ધર્મના અલગ અલગ રાજ્યના પ્રચારકો પાંઢરપાડા ગામમા કેવી રીતે આવી શકે ?  જે  પ્રશ્ન લોક મુખે ચર્ચાઈ રહ્યો છે.આદિવાસીઓ ચર્ચમાં જાય છે. તેનાથી સ્થાનિક આદિવાસી લોકોને કોઈ વાંધો નથી તેઓનું કાયદેસર ખ્રિસ્તી જાહેર કરવામાં આવે જે ખ્રિસ્તીધર્મના પ્રચારકો અલગ અલગ રાજ્યથી પ્રચાર કરવા આવતા હોય છે.મળતી માહિતી મુજબ સુબીર તાલુકામાં તા. ૨૮/૦૪/૨૦૨૫ ના રોજ જુનેર ગામે તથા તા. ૦૫/૦૫/૨૦૨૫ ના રોજ પાંઢરપાડા ગામે બહારથી આવેલા કેટલાક પાસ્ટરો, વક્તાઓ, બિશપો ખ્રિસ્તી ધર્મના પ્રચારકો અંધશ્રધ્ધાના નામે  ભોળી આદિવાસી પ્રજાને ગુમરાહ કરીને ધર્માંતરણોનો મોટો ખેલ કરે છે. અને સુબીર તાલુકાના કેટલાક ખ્રિસ્તી સમાજ દ્વારા મામલતદારને પ્રાથના, સભા,પ્રાથના,બહેનોના સેમીનાર માટે પરવાનગી અને સુરક્ષા માટે અરજી આપવામાં આવે છે.તો એ ખ્રિસ્તી સમાજના સુબીર તાલુકામાં આગેવાનો ખરેખર સરકારી ચોપડે નોંધાયેલા છે કે કેમ ? અને કાયદેસર સરકારી ચોપડે નોંધાયેલા તથા તેમના ખ્રિસ્તી સમુદાયના લોકોના ડોક્યુમેન્ટમાં ખ્રિસ્તી લખાવેલ છે કે કેમ ? હોય તો તપાસ કરી પરવાનગી આપવામાં આવે તથા ખ્રિસ્તી સમાજ દ્વારા પરમિશન જે વ્યક્તિના નામની કચેરીએ લેવા આવશે તે વ્યક્તિના પુરેપુરા ડોક્યુમેન્ટ તપાસ કરી પરમિશન આપવા તથા મામલતદારને સુબીર તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં ધ્યાને દોરવા તથા ગામે ગામ તપાસ કરી ધર્માંતરણ અટકાવવા આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે.તેમજ વધુમાં આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે,આદિવાસી વિસ્તારમાં  પૂર્વજોથી ચાલી આવેલ રૂઢી પરંપરા પ્રમાણે જે આદિવાસી લોકો પૂંજ મુકી પૂંજતા આવ્યા છે.આદિવાસી ગામોમાં  ભોળા આદિવાસીઓ સાથે લોભ લાલચ/સામ/દામ/ભેદની નિતીનો ઉપયોગ કરી આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસ કરે છે.જે એક ખૂબજ ગંભીર બાબત છે. અને આ અધિનિયમની જોગવાઈ ૩.૪ અને પનું ઉલ્લંઘન સગીર કે આદિવાસી વ્યક્તિના સંદર્ભમાં થાય તો તેના માટે ૪ વર્ષની કેદની સજા અને રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ)દંડ ની જોગવાઈઓ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી રહી છે.જો મામલતદાર કક્ષાએથી યોગ્ય કાર્યવાહી નહીં થશે તો સમસ્ત આદિવાસી સમાજની આદિવાસી રૂઢી પરંપરા સંસ્કૃતિને બચાવવા ગાંધી ચીંધ્યા માર્ગ પર ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે..

Back to top button
error: Content is protected !!