તા.૧૧.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા પ્રાથમિક શાળા ના અનાથ બાળકોને કપડાનુ વિતરણ કરવામાં આવ્યા
દાહોદ માનવસેવા તથા વિવિધ સામાજિક સેવા ઓ કરતી રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા શ્રીમદ ભગવત ગીતા જયંતિ ના અવસરે દાહોદ તાલુકા ની છાયણ વગૅ પ્રાથમિક શાળા ના અનાથ બાળકોને રોટરી પરિવાર ના સભ્યો ના સહયોગથી સંસ્થા ના પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા અને રોટરી સેવા સંસ્થાન ના સ્ક્રીય સભ્ય રમેશભાઈ સરૈયા તથા શાળાના આચાર્ય કેશુભાઈ. પી પટેલ તથા શાળા પરિવાર ના સભ્યો ના હસ્તે અનાથ બાળકોને પહેરવા ઉપયોગી કપડા નુ વિતરણ કરવામાં આવ્યું હતુ શાળા પરિવાર દ્વારા રોટરી સેવા સંસ્થાન દાહોદ ની સેવાકીય પ્રવૃત્તિઓને બીરદાવી હતી